રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ (મુળ એએસઆઈ) એચ.એન.રાયજાદાએ સોશિયલ મીડિયા મારફતે સુરતના ઝવેરાતના ધંધાર્થી સાથે મિત્રતા કેળવી ઉધારી–જરૂરિયાતના નામે સવાબે લાખ રૂપિયા લઈને પરત નહીં આપી છેતરપિંડી, વિશ્ર્વાસઘાત આચર્યાના આક્ષેપો સાથે સુરત પોલીસ કમિશનરેન સંબોધીને લેખિત ફરિયાદ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સુરતના રાંદેર વિસ્તારની રામનગર સિંધી કોલોનીમાં રહેતા અને ઝવેરાતના ધંધા સાથે સંકળાયેલા પુનિત લાલવાણી પોલીસ સાથે સોફટ કોર્નર અને મિત્રતા ભાવ ધરાવતો હોવાના સ્વભાવાળો હોવાથી તેનો સંપર્ક સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામના માધ્યમથી રાજકોટ સિટીના એએસઆઈ એચ.એન.રાયજાદા સાથે થયો હતો. સંપર્કેા વધતા રાયજાદાએ નાણાકીય ગીલ નાખી હતી.
ગત માસે તા.૧૦ના રોજ રાયજાદાએ પુનિતને ફોન કરીને પોતાને તાત્કાલિક બે લાખ રૂપિયાની જરૂર હોય અને આવતીકાલે પરત આપી દેશે કહેતા વિશ્ર્વાસમાં આવેલા પુનીતે મહિનાઓની સોશિયલ મીડિયાની મિત્રતાના ભાવે બે લાખ રૂપિયા પી.એમ. આંગડિયા મારફતે રાયજાદાએ કહ્યું એ મુજબ મોરબી આંગડિયું કર્યું હતું. બીજા દિવસે નાણા પરત આપવાના બદલે રાયજાદાએ ફરી ફોન કરીને બાતમીદારને ૨૫ હજાર આપવા છે કહી ઓનલાઈન નારા ટ્રાન્સફર કરાવ્યા હતા. એક દિવસ નહીં એક મહિનો વિત્યે પણ પુનિતના નાણા પરત આવ્યા ન હતા અને રાયજાદા દ્રારા વાયદા કરતા રહ્યા હતા. અંતે લાલવાણીએ પોતે છેતરાયો હોવાનો ભાવ થતાં સુરત પોલીસ કમિશનરને સંબોધીને રાજકોટના એએસઆઈ રાયજાદા વિરૂધ્ધ અરજી કરી હોવાનું જાણવા મળે છે. રાયજાદા સામે અગાઉ પણ નાણાકીય બાબતે કયાંને કયાંક કોઈને કોઈ બાબતે ચર્ચા જાગી હતી ત્યારે લેખિત ફરિયાદ થતાં ચકચાર જાગી છે.
એક ટ્રાન્ઝેકશન તો ઓનલાઈન પણ કરાવ્યું હતું
સુરતના વેપારી પુનિત લાલવાણી સાથે મિત્રતા કેળવીને બે લાખનું આંગડિયુ મંગાવનાર એએસઆઈ રાયજાદાએ એક ટ્રાન્ઝકશન તો પુનિત પાસે ઓનલાઈન પણ કરાવ્યું હતું. બાતમીદારને ૨૫ હજાર તાત્કાલિક આપવાના હોવાના નામે એક મોબાઈલ નંબર આપ્યો હતો અને વિશ્ર્વાસે પુનિતે એ નંબર ઉપર ૨૫૦૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. રાયજાદાએ નાણા પરત આપી દીધા કે મોકલાવ્યાના વોટસએપ ચેટમાં ખોટા મેસેજ પણ કર્યા હતાનો આક્ષેપ લાલવાણી દ્રારા કરાયો હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાનના રાષ્ટ્ર્રપતિ, વિદેશમંત્રીના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
May 20, 2024 12:00 PMદેશભરમાં અગન વર્ષા: યે તો સિર્ફ ઝાંખી હૈ
May 20, 2024 11:54 AMશહેરમાં કેરીના ભાવમાં ઉછાળો: પાક નાશ થવાથી ભાવ ઉચકાયા
May 20, 2024 11:46 AMગાયત્રી પરિવાર દ્વારા આગામી તા. ર3 ના રોજ રાષ્ટ્રીય કલ્યાણ અર્થે ઘેર ઘેર કરાશે યજ્ઞ
May 20, 2024 11:33 AMરાજયમાં વિતરણ વ્યવસ્થા ખોરવાતાં લાખો ગરીબો તુવેરદાળથી વંચિત રહ્યા
May 20, 2024 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech