હિન્દુ સેનાએ વિધર્મીરૂપી અધર્મના નાશ માટે કર્યું શસ્ત્ર પૂજન

  • October 12, 2024 02:20 PM 

હિન્દુ સેનાએ વિધર્મીરૂપી અધર્મના નાશ માટે કર્યું શસ્ત્ર પૂજન

જામનગરમાં હિન્દુ સેના ધર્મના કામને લઈ આગળ વધી રહી છે, ગુજરાતમાં જિહાદીરૂપી વિધર્મીનોના અત્યાચાર સનાતન હિન્દુઓ પર વધી રહ્યા છે. આજનો દિવસ એટલે કે સનાતન ધર્મનો દિવસ કહી શકાય. અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મનો વિજય એ ધ્યાનમાં લઇ હિન્દુ સેના પણ ધર્મ માટે મરી મિટાવાની તૈયારી સાથે જીવના જોખમે કામ કરી રહી છે, હિન્દુ સેના પણ શસ્ત્ર પૂજન કરી અધર્મ સામે ધર્મની લડાઈ લડી રહી છે જેમાં આજે સંકલ્પ બદ્ધ થઈ તમામ સૈનિકો પોત પોતાના શસ્ત્રોનું પૂજન કરી સનાતન ધર્મની રક્ષા કાજે શપથ લીધા હતા.

આ શસ્ત્ર પૂજન શાસ્ત્રી ચિરાગ ભટ્ટ દ્વારા કરાવેલ, સાથોસાથ કરોડપતિ હનુમાન મંદિર ના પૂજારી કિશોર ભગતની ખાસ ઉપસ્થિતિમાં હિન્દુ સેના જામનગરના પૂર્ણકલીન કિશન નંદાનાં અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં  ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, જામનગર વિભાગ એટલે કે ત્રણ જિલ્લાના અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, શહેર મંત્રી મયુર ચંદન, મંથન અઘેર, રાજ પરમાર, હેપ્પી પ્રજાપતિ, દેવેશ શર્મા, રવિ લાખાની, ગૌરાંગ ભોજવાની, અમરીશ રાણા, તથા મીડિયા સેલના સચિન જોશી સહિત અનેક સૈનિકો જોડાયા હતા.જે હિન્દુ સેના મીડિયા સેલ સચિન જોશીની યાદી માં જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application