ખંભાળિયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા 15મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

  • March 01, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇ શ્રી હિરલમા તથા ગીરિશઆપાના આશીર્વાદ મેળવી 20 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે


ખંભાળિયાના માંઝા ગામે  ચારણ ગઢવી સમાજની સમાજવાળી ખાતે ૦૨-૦૩-૨૦૨૫  ના રોજ સમૂહ લગ્નનું આયોજન આઈશ્રી સોનલમાં સમૂહ લગ્ન સમિતી આઈશ્રી હિરલમાં દ્વારા 15 માં સમૂહ લગ્નનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં આઇ શ્રી હિરલમા તથા ગીરિશઆપાના આશીર્વાદ મેળવી 20 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડશે.


આ તકે સમગ્ર જિલ્લાના ગઢવી સમાજના લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે,તેમજ ગઢવી સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોના અથાગ પરિશ્રમથી આ સમૂહલગ્ન ખુબજ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, 


આ પ્રસંગે આઇ હિરલ માતાજી, પૂજય ગિરીશ આપા સહિત ગઢવી સમાજના અગ્રણીઓ હાજર રહીને પ્રસંગને દિપાવશે, પ્રસંગમાં ભોજનના દાતા માયાણી ભીમભાઇ ભારાભાઈ દ્વારા આપવામાં આવશે, સમુહ લગ્નમાં પધારવા આઈશ્રી હિરલ માં અને પ્રસાદીના દાતા પરિવાર વતી સમસ્ત ચારણ ગઢવી સમાજને હાર્દિક આમંત્રણ પાઠવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application