જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર ગોળીબાર કર્યો, વધારાના ફોર્સ બોલાવી સર્ચ ઓપરેશ શરૂ

  • February 26, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આજે બપોરે લગભગ 1:30 વાગ્યે આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર ગોળીબાર કરીને હુમલો કર્યો હતો. આ ઘટના સુંદરબનીથી લગભગ 6 કિમી દૂર પાંડવો દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક ગંધેહ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં બની હતી. હુમલા બાદ તુરંત જ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.


કોઈપણ સૈનિકના જાનહાનિ કે ઈજાની પુષ્ટી નથી
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટનામાં ભારતીય સેનાના કોઈપણ સૈનિકના જાનહાનિ કે ઈજાની કોઈ પુષ્ટિ નથી. તે જ સમયે, ભારતીય સેના અને સુરક્ષા દળોએ આ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ, સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.


7 ફેબ્રુઆરીએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા
આ પહેલાં 7 ફેબ્રુઆરીએ માહિતી સામે આવી હતી કે ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. તેમાં ત્રણ પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application