દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક (૨૦૯૬૮/૨૦૯૬૭)ના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ પોરબંદરથી દર મંગળવારે ચાલતી ગાડી નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૫-૦૪ થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે. દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ગાડી નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૬-૦૪ થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ગાડી ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. ૧૫-૦૪ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૮નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૭.૫૫/૦૮.૧૦ કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૮.૨૫/૦૮.૨૭ કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને ૦૯.૦૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે ૧૬.૦૪.૨૦૨૫ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૭ ઉમદાનગર સ્ટેશનથી ૧૪.૦૦ કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૪.૩૫/૧૪.૩૭ કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૦૦/૧૫.૧૦ કલાકનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ફરી નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
June 03, 2025 05:57 PMઠગ લાઇફ વિવાદ બાદ કમલ હાસને માફી માંગવાનો કર્યો ઇનકાર, 'ઠગ લાઈફ' કર્ણાટકમાં નહીં થાય રિલીઝ
June 03, 2025 05:27 PMજામનગર: ઓનલાઈન વેચાણ કરવા જતા ખેડુત છેતરાયો.
June 03, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech