દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસના કાર્યને કારણે, રેલવે વહીવટીતંત્ર દ્વારા પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક (૨૦૯૬૮/૨૦૯૬૭)ના ટર્મિનલ સ્ટેશનને અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ પોરબંદરથી દર મંગળવારે ચાલતી ગાડી નંબર ૨૦૯૬૮ પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૫-૦૪ થી આગામી આદેશો સુધી પોરબંદરથી ચાલીને ઉમદાનગર સ્ટેશન સુધી જશે. દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ગાડી નંબર ૨૦૯૬૭ સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ૧૬-૦૪ થી આગળના આદેશો સુધી સિકંદરાબાદને બદલે ઉમદાનગર સ્ટેશનથી ચાલશે. આમ આ ગાડી ઉમદાનગર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેન બંને દિશામાં કાચીગુડા સ્ટેશન પર પણ ઉભી રહેશે. ૧૫-૦૪ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૮નું સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૭.૫૫/૦૮.૧૦ કલાકે હશે, કાચીગુડા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૦૮.૨૫/૦૮.૨૭ કલાકે હશે અને ઉમદાનગર સ્ટેશને ૦૯.૦૫ કલાકે પહોંચશે. તેવી જ રીતે ૧૬.૦૪.૨૦૨૫ થી ચાલવા વાળી ગાડી નંબર ૨૦૯૬૭ ઉમદાનગર સ્ટેશનથી ૧૪.૦૦ કલાકે ઉપડશે. તે પછી, કાચેગુડા સ્ટેશન પર તેનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૪.૩૫/૧૪.૩૭ કલાક અને સિકંદરાબાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે ૧૫.૦૦/૧૫.૧૦ કલાકનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech