માધવપુરના લોકમેળામાં ઈમરજન્સી સેવા ૧૦૮ ની ટીમે ૭૦ થી વધુ લોકોને સારવાર આપી હતી.
પોરબંદર જિલ્લામાં કાર્યરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા માધવપુરમાં યોજાયેલ ભવ્ય લોકમેળામાં ફરજ પર ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ મેળામાં આવનાર જનમેદની માટે અને મહાનુભાવો મહેમાનો માટે ત્રણ આઈ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સને હાજર રાખવામાં આવી હતી, જેમાં ૧૦૮ દ્વારા આ મેળા દરમિયાન ૭૦ થી વધુ લોકોને સારવાર પુરી પાડવામાં આવી હતી,જેમાં અકસ્માત ન લાગતા ૨૦ કેસ તેમજ હૃદયને લગતા ૧૫ કેસ અને બીજા મેડિકલ ૨૨ જેવા કેસો તથા ગરમીને કારણે થયેલ તકલીફના ૧૦ જેટલા કેસો મળીને ૭૦ જેટલા કેસો માધવપુર તથા બળેજ અને માંગરોળની ૧૦૮ ની ટીમ દ્વારા દર્દીને વિના વિલંબે સેવા આપેલ છે તેમજ માધવપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંભીર દર્દીને ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખાતે રિફર કરવામાં આવેલ છે.
આમ આ તમામ પ્રકારના લોકોની આરોગ્યની કાળજી માટે પોરબંદર જીલ્લા ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર આકાશ કસોટે તેમજ જિલ્લા એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની સાથે સંકલન જાળવી આ મેળામાં ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મારફતે ટીમ સાથે મળીને વિશિષ્ટ આયોજન સાથે લોક સેવા પુરી પાડવામાં આવેલ છે સાથે મેળામાં ફરજ બજાવનાર તમામ ૧૦૮ અને આઈ.સી.યુ. ઓન વ્હીલના કર્મચારીને તેમની કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના
May 14, 2025 03:14 PMયુવતીને ઘરની બહાર બોલાવી છેડતી, હડધુત કરવાના ગુનાના ૩ આરોપીના જામીન મંજુર
May 14, 2025 03:14 PMજસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બન્યા ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ, જાણો તેમના વિશે બધું જ
May 14, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech