માધવપુરના મેળામાં ૧૦૮ ની ટીમે ૭૦ થી વધુ લોકોને આપી તાકીદની સારવાર

  • April 11, 2025 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માધવપુરના લોકમેળામાં ઈમરજન્સી સેવા ૧૦૮ ની ટીમે ૭૦ થી વધુ લોકોને સારવાર આપી હતી.
પોરબંદર જિલ્લામાં કાર્યરત ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા માધવપુરમાં યોજાયેલ ભવ્ય લોકમેળામાં ફરજ પર ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ મેળામાં આવનાર જનમેદની માટે અને મહાનુભાવો મહેમાનો માટે  ત્રણ આઈ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સને હાજર રાખવામાં આવી હતી, જેમાં ૧૦૮ દ્વારા આ મેળા દરમિયાન ૭૦ થી વધુ લોકોને સારવાર પુરી પાડવામાં આવી હતી,જેમાં અકસ્માત ન લાગતા ૨૦ કેસ તેમજ હૃદયને લગતા ૧૫ કેસ અને બીજા મેડિકલ ૨૨ જેવા કેસો તથા ગરમીને કારણે થયેલ તકલીફના ૧૦ જેટલા કેસો મળીને ૭૦ જેટલા કેસો માધવપુર તથા બળેજ અને માંગરોળની ૧૦૮ ની ટીમ દ્વારા દર્દીને વિના વિલંબે સેવા આપેલ છે તેમજ માધવપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંભીર દર્દીને ૧૦૮ મારફતે વધુ સારવાર અર્થે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખાતે રિફર કરવામાં આવેલ છે.
આમ આ તમામ પ્રકારના લોકોની આરોગ્યની કાળજી માટે પોરબંદર જીલ્લા ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર આકાશ કસોટે  તેમજ જિલ્લા એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગની સાથે સંકલન જાળવી આ મેળામાં ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ આઈ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મારફતે ટીમ સાથે મળીને વિશિષ્ટ આયોજન સાથે લોક સેવા પુરી પાડવામાં આવેલ છે સાથે મેળામાં ફરજ બજાવનાર તમામ ૧૦૮ અને આઈ.સી.યુ. ઓન વ્હીલના કર્મચારીને તેમની કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application