દેવગાણા ગામે શિક્ષકે નજીવી બાબતે વિદ્યાર્થીને માર મારતા સારવાર હેઠળ

  • March 19, 2025 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાળામાં ભણતા વિધાર્થી વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપતા શિક્ષકોને માંનો દરજ્જો આપવામાં આવે છે. વાલીઓ પણ શાળાઓને પોતાના સંતાનો માટે સૌથી સુરક્ષિત સ્થળ માને છે, તેથી જ શાળા શિક્ષણનું મંદિર કહેવાય છે. પરંતુ સિહોરના દેવગાણા ગામે ખાનગી શાળાના એક  શિક્ષકે વિધાર્થીને એટલી નિર્દયતાથી માર માર્યો કે તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
શિક્ષકની ક્રૂરતા સામે આવ્યા બાદ પરિવાજનો પણ આક્રોશિત બન્યા હતા. વિધાર્થીના પરિવારજનો દ્વારા શિક્ષક સામે આકરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. વિધાર્થીને દોષી માનીને શિક્ષકે એટલી હદે માર માર્યો તે વિધાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું અને તેના  પરિવાજનો દ્વારા  શિક્ષક વિરુદ્ધ  કાર્યવાહીની માંગણી કરી રહ્યા હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application