કરાચી એરપોર્ટ પાસે ટેન્કરમાં વિસ્ફોટ, 2 ચીની મજૂરોના મોત

  • October 07, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનમાં કરાચી એરપોર્ટ પાસે એક ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ ત:યો હતો જે ઘટનામાં 2 ચીની મજુરોના મોત થયા હતા તેમજ 6 લોકોને ઈજા પહીચી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસની ઇમારતો પણ ખળભળી જવા પામી હતી. આ હુમલો વિદેશીઓને નિશાન બનાવી કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
પાકિસ્તાનના કરાચી એરપોર્ટની બહાર એક મોટા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સરકારે જણાવ્યું હતું કે એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જો કે આ આત્મઘાતી હુમલાની આશંકા છે. ગૃહમંત્રી ઝિયા ઉલ હસને જણાવ્યું કે આ હુમલો ચીનીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે તે ચીની નાગરિકો પર હુમલો હતો.નોંધનીય છે કે હજારો ચીની કામદારો પાકિસ્તાનમાં છે, જેમાંથી મોટાભાગના બેઇજિંગના અબજ-ડોલરના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં સામેલ છે જે દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની સાથે જોડે છે.ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઈસ્ટ અઝફર મહેસરે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે તે ઓઈલ ટેન્કર વિસ્ફોટ હતો.

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ વિસ્ફોટની જવાબદારી લીધી
પાકિસ્તાની અલગતાવાદી આતંકવાદી જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી ના માજીદ બ્રિગેડે આ હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન અગાઉ ચીનના નાગરિકો અને પાકિસ્તાનમાં ખાસ કરીને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર સાથે સંબંધિત પ્રોજેક્ટ પર હુમલો કરતું રહ્યું છે.


વિસ્ફોટથી ઈમારતો હલબલી ગઈ
પોલીસે જણાવ્યું કે અમે વિસ્ફોટનું કારણ શોધી રહ્યા છીએ અને તેમાં સમય લાગી શકે તેમ છે. તેમણે કહ્યું કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગૃહમંત્રી અને મહાનિરીક્ષકે પણ વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગમાં કામ કરતા રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે તેનાથી એરપોર્ટની ઇમારતો હચમચી ઉઠી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application