ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઇ લોકો પરેશાન થયા છે. છેલ્લા બે દિવસથી પાણી વ્યવસ્થા ખોરવાઈ જતા આકરા ઉનાળામાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નિયમિત પાણીનુ વિતરણ થવા છતા મ્યુનિસિપલ તંત્રની અણઆવડતના લીધે કુંભારવાડા વિસ્તારમાં વારંવાર પાણીના ટેન્કર દોડાવવા પડી રહ્યા છે. ભાવનગર શહેરમાં પિવાના પાણીના પુરતા સોર્સ છે. પણ કુંભારવાડા, પ્રભુદાસ તળાવ, બોરડીગેટ, ખેડુતવાસ, રૂવાપરી રોડ સહિતના વિસ્તારોમાં પાણીના ટેન્કર દોડાવવા પડે છે. ઉનાળો શરૂ થતા જ આ વિસ્તારના રહીશોની ચિંતમાં વધુ વધારો થાય છે. કુંભારવાડા મામલે શાસક પક્ષ દ્વારા વારંવાર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે, અહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ માળખાકીય સુવિધા પાછળ ફાળવી છે. ઓવરહેડ ટાંકી બનાવી અને અનેકવાર પાણીની લાઈનો નાખવા પાછળ પ્રજાના ટેક્ષના પૈસા બગાડવામાં આવે છે. છતાં આ વિસ્તારમાં સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે. કુંભારવાડા વિસ્તારમાં ગરીબ અને માધ્યમ વર્ગના લોકો વસે છે. અને હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં લઘુમતી સમાજના લોકો રોઝા પુરા થયા પછી પાણીની જરૂરિયાત પડતી હોય છે. છતાં મનપા દ્વારા પાણી નિયમિત વિતરણ કરાતું નથી. અને જો પાણી આવે તો અણફિલ્ટર ડ્રેનેજ યુક્ત પાણી વિતરણ કરાય છે. ત્યારે ન છૂટકે લોકોને ટેન્કરમાંથી પાણી ભરવાનો વારો આવે છે. લોકોને પિવાના પાણી માટે ટેન્કર આધાર રાખવો પડે છે. આ મામલે ઝડપથી યોગ્ય કાર્યવાહી હાથ ધરીને પાણીની સમસ્યા દુર કરવામાં આવે તેવી કુંભારવાડા વિસ્તારના લોકોમાં માંગ ઉઠી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech