રાજકોટમાં ૯૦૦૦ ઢોરને ટેગિંગ; હજુ ૩૦૦૦ બાકી

  • January 13, 2024 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટના આદેશ અને રાય સરકારની નવી ગાઇડલાઇનની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૧લી જાન્યુઆરીથી શ કરવામાં આવી છે જે અંતર્ગત આજ દિવસ સુધીમાં ૯૦૦૦ પશુઓનું રજિસ્ટ્રેશન કરી પશુઓના કાન ઉપર ટેગિંગ કરવામાં આવ્યું છે. તા.૩૧ જાન્યુઆરી સુધીમાં શહેરમાં તમામ પશુઓને ૧૦૦ ટકા ટેગિંગ થઇ જશે તેવો મહાપાલિકા તંત્રનો દાવો છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના વડા વેટરનરી ઓફિસર ડો.ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં પશુઓની કુલ સંખ્યા ૧૨૦૦૦ હોવાનો પ્રાથમિક અંદાજ છે, અને આ સંખ્યામાં ખરીદ, વેંચાણ, જન્મ, મૃત્યુ મુજબ વધ ઘટ થતી રહે છે. આ ૧૨૦૦૦ પૈકી ૯૦૦૦ ઢોરને હાલ સુધીમાં ટેગિંગ કરાયું છે અને આગામી ૧૮ દિવસમાં બાકી રહેતા ૩૦૦૦ને પણ ટેગિંગ થઇ જાય તેવું પ્લાનિંગ છે. નવા નિયમોની કડક અમલવારી શ કરતાં હવે રખડું ઢોરની સંખ્યા અને ફરિયાદોનું પ્રમાણ બન્ને ઘટું છે. તેમણે ઉમેયુ હતું કે મહાપાલિકામાં ઢોરના રજિસ્ટ્રેશન બાદ પશુના કાનમાં ટેગિંગ કરવામાં આવે છે જેમાં એક ચિપ બેસાડવામાં આવી હોય છે તે ચિપ સ્કેન કરતાની સાથે પશુ અને તેના માલિકની તમામ વિગતો તેમજ અગાઉ કેટલી વખત રખડતું જ થયું છે તે સહિતનો તમામ ડેટા જોઇ શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application