જેતપુરના પીપળવામાં ટીબીગ્રસ્ત મહિલાનો એસિડ પીને આપઘાત

  • September 28, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરમાં પીપળવા ગામે રહેતા પ્રૌઢાએ એસિડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું મહિલાને ટીબીની બીમારી હોય તેનાથી કંટાળી જઇ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર તાલુકાના પીપળવા ગામે રહેતા મંજુલાબેન મનસુખભાઈ ચાવડા (ઉ.વ ૫૫) નામના પ્રૌઢાએ ગત તારીખ ૨૦ ૯ ના સવારે એસિડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.મજુલાબેનના પતિ મનસુખભાઈ ખેતમજૂરીનું કામ કરે છે.પ્રૌઢાને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. મંજુલાબેનને છેલ્લા ઘણા સમયથી ટીબીની બીમારી હોય જેનાથી કંટાળી જઇ તેમણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
અન્ય એક બનાવમાં નવાગઢ રેલવે સ્ટેશન પાસે રહેતા સવિતાબેન સવજીભાઈ મોઢવાડિયા(ઉ.વ ૯૦) નામના વૃદ્ધાએ તારીખ ૨૫૯ ના સવારે શરીર પર કેરોસીન છાતી અિસ્નાન કરી લેતા તેમને સારવાર માટે પ્રથમ જૂનાગઢ બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર છે. છેલ્લા ઘણા સમયથી તેઓને મગજની બીમારીથી પીડાતા હોય તેનાથી કંટાળી આ પગલું ભયુ હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application