છાયામાં સફાઈ સૈનિકોને ટી.બી. વિષયક અપાઈ ઊંડાણથી જાણકારી

  • August 24, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના છાયા વિસ્તારમાં સફાઈ સૈનિકોને ટીબી વિષયક જાણકારી આપવામાં આવી હતી. 
ટી.બી. એક એવો રોગ છે કે જેનું સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો સંપૂર્ણ મટાડી શકાય છે. પોરબંદર જિલ્લામાં ટીબી નાબૂદી અભિયાનના ભાગ‚પે છાંયા વિસ્તારના સફાઈ કામદારો માટે જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફ દ્વારા ટી.બી. રોગ શું છે, તે કઈ રીતે ફેલાય છે, ટી.બી.નું નિદાન કઈ રીતે થાય છે. તેમજ ટી.બી.ની સારવાર અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા હતા, અને તેમના દ્વારા ટી.બી. અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરવામાં આવશે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર તમામ સફાઈ કર્મચારીઓનું ટીબી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું, અને જ‚ર જણાયેલ વ્યક્તિઓને એક્સ રે તેમજ સ્પૂટમ તપાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
છાંયા વિસ્તારના પાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઈ કાનાભાઈ ખુંટી, પાલિકાના સેનીટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખુંટી હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application