મીટરગેજ ટે્રનોને બોર્ડગ્રેજમાં ફેરવવા વિસાવદરમાં સ્વયમ આંદોલનના મંડાણ

  • August 14, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર શહેરની તમામ સંસ્થાઓ દ્વારા એક મીડિયા ગ્રૂપ બનાવી ત્રણ જિલ્લા અને અઢાર જેટલા તાલુકાની જોડતી મીટરગેજ ટ્રેનોને બોર્ડગ્રેજમાં ફેરવવા માટે બિનરાજકીય લડતના મંડાણ કરાયા હોવાની હકીકતો સામે આવેલ છે થોડા સમય પહેલા અમરેલીમાં આ બાબતે લડાઈ ચાલુ કરવામાં આવેલ છે ત્યારે આ ત્રણ જિલ્લાની વર્ષો જૂની માંગણી બાબતે કેટલાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને લોલીપોપ આપી ટૂંકમાં બોર્ડગ્રેજ લાઇન ચાલુ કરવાના ઠાલા વચનો આપતા હોય ત્યારે વિસાવદર શહેરમાંથી પણ આ બાબતે અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા આખરે ગામના તમામ હિતેચ્છુ વ્યક્તિઓનું બિન રાજકીય એક ગ્રૂપ બનાવી મિશન બોર્ડગ્રેજ-વિસાવદર ના નામે એકત્રિત થયા છે અને ટુક સમયમાં વડીલોની સૂચના મુજબ આગળની રણનીતી ઘડી આંદોલનને ઉગ્રતા આપવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application