અમરેલી જિલ્લ ાના રાજુલા તાલુકાના મોરંગી ગામના બે સગા ભાઈઓની લાશ મોરગી ગામના તળાવમાથી મળી આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતા મોઢા ઉપર ઇજાના નિશાનને લઈને બંને લાશોને ફોરેન્સિક પી એમ અર્થે ભાવનગર ખસેડવામાં આવેલ હતી ફોરેન્સિક રિપોર્ટમાં ઈજાના નિશાન છે તે તળાવ રહેલ જળ જીવોથી થયાનુ સામે આવ્યુ હતું જોકે પોલીસે ઘટના અંગેની તપાસ હાથ ધરેલ હતી
રાજુલા તાલુકાના મોરંગી ગામમાં એક દિવસ પહેલા સાંજના પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈ માઘુભાઇ મકવાણાનો ૬ વર્ષીય કૃણાલ અને ૧૦ વર્ષીય મિત નામના બે બાળકો રમવા જવાનું કહીને ઘરેથી બહાર ગયા હતા મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા પરીવાર અને મોરગી ગામના લોકો દ્વારા શોધખોળ હાથ ઘરવામા આવી હતી પરંતુ શોધખોળ દરમિયાન બંને બાળકોનો કોઈ અતોપતો માલુમ ન પડતા ડુગર પોલીસમા જાણ કરવામાં આવેલ હતી પોલીસે પણ તમામ પાસાઓ તપાસી શોઘખોળ હાથ ઘરી હતી શોઘખોળ હાથ ઘરતા બને બાળકોની કોઈ ભાળ ન મળતા પરીવાર ચીંતાતુર બન્યા હતો ત્યારે લગભગ પંદર કલાક બાદ સવારના અરસામાં બંને ભાઇઓના મૃતદેહ ગામના તળાવમાં તરતા હોવાની માહિતી મળતા મોરંગી ગામના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો બાળકોને ઇજાના નિશાનને લઈને અલગ-અલગ ટીમો બનાવી પરિવારની શંકાના આધારે ગામમાં કે આજુબાજુમાં સીસીટીવી છે કે નહીં એ તપાસ હાથ ધરી છે. જ્યારે સ્થાનિક લોકોને કંઇ માહિતી મળે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી
ત્યારે જાણવા મળતી માહિતી મુજબ બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પરિવાજનોએ કંઇક અજુગતુ થયુ હોવાની આશંકા લાગતા મૃતદેહને બહાર કાઢી પ્રથમ રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બાળકોને ઇજાના નિશાન હોવાથી મુતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ આવતા બને બાળકો પાણીમાં ડુબી જવાના કારણે મોત થયાનું સામે આવ્યું હતુ જે ઈજાના નિશાન છે તે તળાવમાં રહેલ જળ જીવોથી થયાનુ સામે આવ્યુ હતું આ ઘટનાને લઈને રાજુલા તાલુકાના મોરંગી ગામમા કોળી સમાજના બે બાળકોના મોતથી શોકનો માહોલ છવાયો હતો આ ઘટનાને લઈને ડુંગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech