પીપરટોડામાં મામાના ઘરે આવેલ ભાણીનું શંકાસ્પદ મોત

  • May 27, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાત્રીના અગાસી પર સુતી વેળાએ કિશોરીનું મૃત્યુ થયું : પીએમ રીપોર્ટમાં કારણ ખુલશે

જામનગર નજીક પીપરટોડા ગામે સુરતથી મામાના ઘરે આવેલી ૧૩ વર્ષીય કિશોરી રાત્રીના અગાસી પર સુતી હતી, દરમ્યાન શંકાસ્પદ રીતે મૃત્યુ થતા પરિવાર સહિતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે, આ બનાવ અંગે પોલીસને જાણ થતા તપાસ કરવામાં આવી રહી છે, બીજી બાજુ પીએમ રીપોર્ટમાં કારણ બહાર આવશે.
મળતી વિગત મુજબ સુરતમાં વસવાટ કરતી અને સાતમાં ધોરણમાં ભણતી જેનીસા પંકજભાઇ અભંગી (ઉ.વ.૧૩) નામની કિશોરી પોતાના પરિવાર સાથે જામનગર નજીક આવેલા પીપરટોડા ગામે મામાના ઘરે આવી હતી, અહીં રાત્રીના સમયે અગાસી પર સુતી હતી એ વખતે તેણીનું શંકાસ્પદ મોત નિપજયુ હતું.
આ અંગેની જાણ થતા કિશોરીના મૃતદેહને જામનગરની જી.જી. હોસ્પીટલમા પીએમ માટે લાવવામાં આવ્યો હતો, પીએમ રીપોર્ટ બાદ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે, હાલ અચાનક મૃત્યુથી પરિવાર સહિતમાં શોકની લાગણી ફેલાઇ હતી, બીજી બાજુ પોલીસ દ્વારા આ મામલે પુછપરછ સહિતની કાર્યવાહી લંબાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application