એક બુદ્ધિશાળી અભિનેત્રી તરીકેની જેની છાપ છે તેવી સુષ્મિતા સેન આજકાલ એક પોસ્ટ મુદે ટ્રોલિંગનો સામનો કરી રહી છે.
સુષ્મિતા સેનની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુષ્મિતા સેને રાજનીતિ બાબતે એક એવી વાત કહી દીધી છે, જેના કારણે લોકો તેને ખરી ખોટી કહી શક્યા છે. સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ફેન્સ સામે વિચાર રજૂ કરે છે, પરંતુ આ વખતે સુષ્મિતા સેનને ખૂબ જ ભારે પડી ગયું છે.
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે લોકોમાં ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ હતો. બીજી તરફ સુષ્મિતા સેન ‘રાજનીતિ’ અંગે પોસ્ટ શેર કરી છે, જેના કારણે ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ‘ભારતના સંવિધાન’ સાથે જોડાયેલ એક પોસ્ટ રિશેર કરી છે. ફિલ્મમેકર અતુલ મોન્ગિયાએ આ પોસ્ટ શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ભારત, હું મારા દેશને પ્રેમ કરું છું. નફરતની રાજનીતિ આ પ્રેમને નહીં બદલી શકે.’ સુષ્મિતા સેને અતુલ મોન્ગિયાની આ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘મધરલેન્ડ’, જેની સાથે હાર્ટનું ઈમોજી પણ શેર કર્યું હતું.
સુષ્મિતા સેને આ પોસ્ટ શેર કરતા ફેન્સને લાગી રહ્યું છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાબતે આ પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે સુષ્મિતા સેનને ટ્રોલ કરવામાં આવી રહી છે. યૂઝર્સે આ પોસ્ટ પર કમેન્ટ કરી છે કે, ‘હું સુષ્મિતાની રિસ્પેક્ટ કરતી નથી. જે લોકો પોતાની સભ્યતા સાથે ઊભા ના રહી શકે, તે ફોલો કરવાને લાયક નથી.’, ‘સુષ્મિતા સેન પીએચ ડી લેવલ પર આ પ્રકારે વિચારે તે મૂર્ખતા છે. તેમનામાં એટલી નફરત છે કે, લોકોની ફીલિંગ્સ સમજતા નથી.’, ‘500 વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું નિર્માણ થયું છે. સુષ્મિતા સેન માટે આ ‘નફરતની રાજનીતિ’ છે. તેમના મગજ પર ઉદારવાદ એટલો હાવી થઈ ગયો છે કે, ધર્મના હિંદુ પ્રતિક પર મુગલોની બર્બરતાનો ઈતિહાસ ભૂલી જાય છે.
સુષ્મિતા સેને છેલ્લે સીરિઝ ‘તાલી’માં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતનું પાત્ર ભજવ્યું હતું. ફેન્સને સુષ્મિતા સેનનું આ પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું અને ડાયલોગની સરાહના કરવામાં આવી હતી. થોડા સમય પછી સીરિઝ ‘આર્યા 3’માં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech