ગિરનાર ઉપર ઝેરી દવા ગટગટાવી સુરતના પ્રેમીપંખીડાનો આપઘાત

  • September 23, 2024 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગિરનાર પર્વત અંબાજી થી દત્તાત્રેય તરફ જવાના રસ્તે ગોરખ ધુણા પાસે જંગલ વિસ્તારમાં સુરતના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કર્યાનો બનાવ નોંધાયો છે.મૃતદેહની બાજુમાંથી સેલફોર્સની ટીકડીના પેકેટ મળી આવ્યા હતા.ભવનાથ પોલીસની ટીમ દ્રારા  વધુ તપાસ અર્થે બંનેના મૃતદેહને જામનગર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.



ભવનાથ પોલીસમાંથી પ્રા વિગત મુજબ ગિરનાર પર્વત અંબાજી થી દત્તાત્રેય તરફ જતા રસ્તે ગોરખધુણા પાસે જંગલ વિસ્તારમાં યુવક અને યુવતીનો મૃતદેહ હોવાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ઓળખની તજવીજ હાથ ધરી હતી.તપાસમાં દિપક વશરામભાઈ વેકરીયા રહે સુરત,અને ચૈતાલી હિતેશભાઈ લાખણકીયા રહે આશીર્વાદ ગ્રીન પેલેસ ખોલાવડ સુરત નામની મહિલા હોવાની વિગતો પ્રા થઈ હતી.પોલીસ દ્રારા કરેલ ઐંડાણપૂર્વકની તપાસમાં મહિલાના સુરત ખાતે હિતેશભાઈ લાખણકીયા સાથે લ થઈ ગયા હોય પરંતુ દીપકભાઈ સાથે પ્રેમ સંબધં હોવાના કારણે બંને પ્રેમી પંખીડા ગિરનાર પર્વત પર આવી સજોડે આપઘાત કર્યેા હતો. બંને એક સોસાયટીમાં જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.અને ત્યારબાદ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ આખં મળી ગઈ હોવાની વિગતો પ્રા થઈ છે.મૃતદેહ પાસેથી સેલ ફોર્સના ટીકડા મળી આવ્યા હતા તેથી પોલીસ દ્રારા પ્રાથમિક તબક્કે પ્રેમી પંખીડાઓએ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કર્યા અંગેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.વધુ તપાસ અર્થે બંનેના મૃતદેહને જામનગર પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.સમગ્ર બનાવ અંગે મૃતક ચૈતાલી બેનના પતિ હિતેશભાઈ લાખણકીયાએ પ્રેમ સંબધં ના કારણે બંનેએ આપઘાત કર્યા અંગે વિગતો જાહેર કરી છે. વધુ તપાસ ભવનાથ પોલીસની ટીમ દ્રારા કરવામાં આવી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application