સુરજકરાડીના યુવાનનું અકળ કારણોસર મૃત્યુ

  • July 16, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ખાલીદભાઈ જુસબભાઈ કુરેશી નામના 38 વર્ષના ફકીર મુસ્લિમ યુવાનનો ગઈકાલે સોમવારે મૃતદેહ સાંપડ્યો હતો. આ યુવાનનું રવિવારે રાત્રિથી સોમવારે સવાર સુધીના સમયગાળા દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ મુસાભાઈ જુસબભાઈ કુરેશી (ઉ.વ. 36) એ મીઠાપુર પોલીસની કરી છે. જે અંગે પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ખંભાળિયામાં પીધેલો કારચાલક ઝડપાયો

ખંભાળિયા શહેર નજીકના વિનાયક ફાટક પાસેથી ટ્રાફિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળેલા અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં શીરૂતળાવ ખાતે રહેતા સાગર હરભમ ભાચકન નામના 24 વર્ષના ગઢવી શખ્સને ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ઓખા મરીન પોલીસે મીઠાપુરના રામભા મુળુભા માણેક (ઉ.વ. 30) ને પીધેલી હાલતમાં રૂપિયા 30,000 ની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application