અહી જ અક્ષય કુમારની ફિલ્મ 'ભૂલ ભુલૈયા'નું શૂટિંગ થયુ હતુ
સુરભિ ચંદના અને કરણ શર્મા આજે લગ્ન કરવ જઈ રહ્યા છે. સુરભિ ચંદના એ પેલેસમાં લગ્ન કરશે જ્યાં અક્ષય કુમારની ભૂલ ભુલૈયાનું શૂટિંગ થયુ હતુસુરભિ ચંદના 13 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના પતિ કરણ શર્મા સાથે લગ્નના બંધનમાં બંધાશે. એક્ટ્રેસ પોતાના ડેસ્ટિનેશન વેટિંગ વેન્યુ પર ફેમિલી સાથે પહોંચી ગઇ છે. સુરભિ ચંદના-કરણ શર્મા રાજસ્થાનના જયપુર ચોમુ પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. એક્ટ્રેસ સુરભિ ચંદના પોતાના લગ્નને લઇને સતત ચર્ચામાં બની રહે છે. હાલમાં એક્ટ્રેસે બેચલર પાર્ટીની તસવીરો અને વિડીયો સોશિયલ મિડીયામાં શેર કર્યા હતા.
ભૂલ ભુલૈયાના મહેલમાં સુરભિ ચંદનાના લગ્ન થશે
ચોમુ પેલેસ હોટ એક ઐતહાસિક લગ્ન મહેલ છે જ્યાં અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયાનું શૂટિંગ થયુ હતુ. આ મહેલમાં મેકર્સે એમની ફિલ્મનું શૂટિંગ કરવાનું પસંદ કરતા હોય છે. આ મહેલમાં માત્ર ભૂલ ભુલૈયા નહીં, પરંતુ બીજા પણ અનેક મુવીનું શૂટિંગ થયુ છે જેના કારણે આ મહેલ લાઇમલાઇટમાં રહે છે. ભૂલ ભુલૈયા સિવાય અજય દેવગનની બોલ બચ્ચનું શૂટિંગ પણ અહીંયા થયુ હતુ. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ટીવી સિરીયલોનું શૂટિંગ પણ આ મહેલમાં કરવામાં આવે છે.
સુરભિ ચંદના બનશે કરણ શર્માની દુલ્હન
સુરભિ ચંદના અને કરણ શર્મા 2010માં ડેટિંગની શરૂઆત થઇ અને હવે લગ્નની ઘોષણા કરીને પોતાના રિલેશનશિપની વાત લોકો સાથે કરી. 15 જાન્યુઆરી 2024ના રોજ આ કપલે લગ્નની તારીખ સોશિયલ મિડીયામાં શેર કરી. જ્યારે એક માર્ચના રોજ સુરભિ ચંદનાના પ્રી વેડિંગ ફંક્શન છે અને 2 માર્ચના રોજ સુરભિ ચંદના-કરણ શર્મા લગ્નના બંધનમાં બંધાશે.
સુરભિ ચંદનાના હિટ શો
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક સુરભિ ચંદનાને ઇશ્કબાઝ શોથી ખૂબ નામના મળી હતી. આ શોમાં એક્ટ્રેસની ભૂમિકાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. એક્ટ્રેસની એક્ટિંગ પણ દમદાર હતી. આ સિવાય એક્ટ્રેસ નાગિનમાં પણ શાનદાર એક્ટિંગ કરીને દર્શકોને ફિદા કરી દીધા હતા. નાગિન સિરીયલથી પણ એક્ટ્રેસ ખૂબ ફેમસ થઇ. આ શોમાં ભલે રોલ લાંબો ન હતો, પરંતુ લોકોને હંમેશ માટે યાદગાર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech