અદાણી હિંડનબર્ગ કેસમાં, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે સોમવારે (15 જુલાઈ) તેના 3 જાન્યુઆરીના નિર્ણય સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. જેમાં તેમણે અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવમાં થયેલી હેરાફેરીના આરોપોની તપાસ એસઆઈટી અથવા સીબીઆઈને સોંપવાનો ઈન્કાર કર્યો હતો.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરના ભાવમાં હેરાફેરી સહિતના અનેક આક્ષેપો કર્યા બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
ખાનગી પેપરના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી કરી રહેલી CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે 3 જાન્યુઆરીના નિર્ણય સામે PILમાંથી એક અનામિકા જયસ્વાલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી.
રેકોર્ડમાં કોઈ ભૂલ મળી નથી- SC
સુપ્રીમ કોર્ટની 3 સભ્યોની બેન્ચે પોતાના આદેશમાં કહ્યું, 'રિવ્યુ પિટિશન પર વિચાર કર્યા પછી અમને જાણવા મળ્યું કે રેકોર્ડમાં કોઈ સ્પષ્ટ ભૂલ નથી. સુપ્રીમ કોર્ટના નિયમો, 2013 ના ઓર્ડર XLVII નિયમ 1 હેઠળ સમીક્ષા માટેનો કોઈ કેસ બનતો નથી. તેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે છે. આ રિવ્યુ પિટિશનને ચેમ્બરમાં ત્રણ જસ્ટિસ દ્વારા વિચાર કરવામાં આવ્યો હતો.
24માંથી 22 કેસની સુનાવણી પૂર્ણ
3 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અથવા એસઆઈટી તપાસનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયને અદાણી ગ્રૂપની મોટી જીત ગણાવી હતી. તે જ સમયે, કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે બજાર નિયામક સેબી આરોપોની તપાસ કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સેબીએ તેના અહેવાલમાં આરોપો પછી હાથ ધરવામાં આવેલી 24 તપાસની સ્થિતિ વિશે માત્ર સુપ્રિમ કોર્ટને અપડેટ કર્યું હતું, તે સંપૂર્ણ છે કે અધૂરી છે, પરંતુ કોઈ વિગતો જાહેર કરી નથી. આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે સેબીએ અદાણી જૂથ પર આરોપો મૂકેલા 24માંથી 22 કેસોમાં તેની તપાસ પૂર્ણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech