કેજરીવાલને CM પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, બેન્ચે કહ્યું 'અમારી પાસે કાનૂની અધિકાર નથી'

  • May 13, 2024 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેજરીવાલને CM પદ પરથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, બેન્ચે કહ્યું- અમારી પાસે કાનૂની અધિકાર નથી


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેજરીવાલને સીએમ પદ પરથી રાજીનામું આપવા માટે કહેવાનો તેને કોઈ કાનૂની અધિકાર નથી.

આ પહેલા 28 માર્ચે હાઈકોર્ટે સુરજીત સિંહ યાદવ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દાની તપાસ કરવાનું કાર્ય કારોબારી અને રાષ્ટ્રપતિનું છે અને કોર્ટ તેમાં દખલ ન કરી શકે.


ત્યારબાદ, 4 એપ્રિલે, કોર્ટે હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી પીઆઈએલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, તે કેજરીવાલનો વ્યક્તિગત નિર્ણય હશે કે તેઓ મુખ્યમંત્રી રહેશે કે નહીં. બેન્ચે ટિપ્પણી કરી હતી કે કેટલીકવાર વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતને આધીન કરવું પડે છે પરંતુ આ તેમનો (કેજરીવાલનો) વ્યક્તિગત નિર્ણય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application