સુપ્રીમ કોર્ટે હરિયાણા અને પંજાબને જોડતી ખનૌરી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને સલાહ આપી છે. આજે સુનાવણી દરમિયાન, કોર્ટે ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને કહ્યું કે તેઓ વિરોધ કરી રહેલા ખેડૂતોને સમજાવે કે તેઓ હાઈવે બ્લોક ન કરે અને લોકોની સુવિધાઓનું ધ્યાન રાખે. દલ્લેવાલને પોલીસ દ્રારા ખનૌરી બોર્ડરથી પકડી લેવામાં આવ્યા હતા પરંતુ હવે કોર્ટમાં સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે તેને પોલીસ દ્રારા કથિત કસ્ટડીમાંથી મુકત કરવામાં આવ્યા છે. પછી તે ફરી એકવાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા. તેમની સાથે ઘણા ખેડૂતો એમએસપીની ગેરંટી માટે કાયદો બનાવવા સહિતની અનેક માંગણીઓ સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.
દલ્લેવાલની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થામાં તમે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી શકો છો પરંતુ લોકોને અસુવિધા ન પહોંચાડો. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉવલ ભુયાનની બેંચે કહ્યું કે દલ્લેવાલને ૨૬ નવેમ્બરે ખનૌરી બોર્ડરથી ઝડપી લેવામાં આવ્યા હતા. હવે તેને ફરીથી મુકત કરવામાં આવ્યા છે અને તે તેના સાથીઓને આમરણાંત ઉપવાસ સમા કરવા માટે સમજાવતો પણ જોવા મળ્યો હતો. બેન્ચે દલ્લેવાલ તરફથી હાજર રહેલા વકીલ ગુનિન્દર કૌર ગિલને કહ્યું કે તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આંદોલનથી જનતાને અસુવિધા ન થાય. ખંડપીઠે કહ્યું કે લોકતાંત્રિક પ્રણાલીમાં તમને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેનાથી જનતાને અસુવિધા ન થાય. તમે બધા જાણો છો કે ખનૌરી સરહદ પંજાબ માટે જીવાદોરી સમાન છે. અમે એ નથી કહી રહ્યા કે વિરોધ સાચો છે કે ખોટો પરંતુ જનતાને કોઈ સમસ્યા ન થવી જોઈએ. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે દલ્લેવાલ વિરોધીઓને શાંતિપૂર્ણ આંદોલન કરવા માટે મનાવી શકે છે. ધ્યાનમાં રાખો કે તેમના પ્રદર્શનથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech