ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક થી વધુ વિષયમાં નાપાસ થયેલા/ ગેરહાજર રહેલા અને પરિણામને સુધારવા ઈચ્છુક વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ગઈ કાલથી શરૂ થઈ ગઈ છે અને આગામી તારીખ 19 સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે.
બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકના જણાવ્યા મુજબ આ માટેનું ફોર્મ શાળાએ બોર્ડની વેબસાઈટ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે. આવેદનપત્ર ભરવાની અને ફી ભરવાની પ્રક્રિયા શાળા મારફત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ તે ટપાલ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તારીખ 12 થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તારીખ 19 મે સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.
કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તેથી તેમની પાસેથી ફી લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા માટે જે વિષયમાં કે વિષયોમાં તે પરીક્ષા આપવા માંગતા હોય તેનું ફોર્મ ઓનલાઈન ભરવું પડશે.
બોર્ડે અગાઉ જાહેરાત કરી છે તે મુજબ માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ પરીક્ષા લેવામાં આવશે. સંભવિત રીતે જૂન માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ સહિતનો વિગતવાર પરીક્ષા કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં જે જિલ્લામાં પરીક્ષા લેવામાં આવનારી છે તેમાં અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ભુજ બોટાદ જામખંભાળિયા વેરાવળ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech