- અક્ષયકુમારની 3, શાહરુખ-અનિલની 2-2 ફિલ્મોનો સમાવેશ
- સન્ની પાજી આ ફિલ્મોમાં હોત તો શું થાત, કલ્પના કરો
દેઉલ પરિવારના સન્ની પાજીનું બોલીવૂડમાં મોટું નામ છે. બેતાબથી લઇ ગદર સુધી તેના નામે અનેક હીટ ફિલ્મો બોલાય છે. છેલ્લા 3-4 દાયકામાં તેને અનેક ફિલ્મો ઓફર કરાઇ હતી. જેમાં કોઇને કોઇ કારસર તે કરી શક્યો નહીં અથવા તો તેણે રિજેક્ટ કરી. હવે વાચકો જ નક્કી કરે કે સની દેઉલનો નિર્ણય કેટલો યોગ્ય હતો.
ઘણાનું માનવું છે કે સની દેઓલનું 10 ફિલ્મોને રિજેક્ટ ન કરી હોત જે તેની રિલીઝ પછી બોક્સ ઓફિસ પર હિટ રહી હતી તો તેની કારકિર્દી આકાશને આંબી ગઈ હોત. તેની ભૂલને કારણે આ 10 ફિલ્મો બીજાના હાથમાં આવી ગઈ હતી. આ ફિલ્મોમાં સૌથી પહેલાં શાહરુખ ખાનનું નસીબ ચમકાવતી ફિલ્મ દીવાના આવે છે.
1992માં દિગ્દર્શક રાજ કંવરની આ સુપરહિટ ફિલ્મથી શાહરૂખ ખાનની કિસ્મત ચમકી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ઋષિ કપૂરનું પાત્ર સૌપ્રથમ સની દેઓલને ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે સમયે આ ફિલ્મને ફગાવી દીધી હતી. કહેવાય છે કે એ દરમિયાન સની બીજી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો. અને તેથી જ તેણે આ ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. પાછળથી આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.
મુકુલ એસ આનંદ દ્વારા દિગ્દર્શિત આ 1995 ની ફિલ્મ ત્રિમૂર્તિ સુભાષ ઘાઈ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં જેકી શ્રોફ, અનિલ કપૂર અને શાહરૂખ ખાન જેવા મોટા ગજાના કલાકારો હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ પહેલા સની દેઓલને ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અને આ ફિલ્મ પણ બીજા ત્રણેય હીરોને લઈને લોકો આજે પણ યાદ કરે છે.
1997માં રાકેશ રોશન દ્વારા નિર્દેશિત ફિલ્મ કોયલા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી, જેમાં શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મ માટે સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ સનીને આ ફિલ્મની સ્ટોરી પસંદ ન આવી, ત્યારબાદ આ ફિલ્મ શાહરૂખના ખોળામાં આવી ગઈ હતી.
1999માં સુનીલ દર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જાનવરમાં ખિલાડી અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો. કહેવાય છે કે આ ફિલ્મ માટે મેકર્સે પહેલા સની દેઓલનો પણ સંપર્ક કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનીએ આ ફિલ્મને રિજેક્ટ કરી દીધી હતી કારણ કે તેણે તેની ફિલ્મ 'જીત'માં આ પ્રકારનું પાત્ર કર્યું હતું. અને તેને રિપીટ કરવું નહોતું જેથી બાદમાં અક્ષય કુમારે આ રોલ કર્યો હતો.
1999ની દિગ્દર્શક કેસી બોકાડિયાની આ ફિલ્મ લાલ બાદશાહમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા, પરંતુ આ ફિલ્મ સૌપ્રથમ સની દેઓલને ઓફર કરવામાં આવી હતી. કહેવાય છે કે કોઈ કારણસર સની આ ફિલ્મ ન કરી શક્યો તો આ ફિલ્મ અમિતાભ બચ્ચન પાસે ગઈ. આજે પણ આ ફિલ્મ ટેલીવિઝન પર ખૂબ જોવાય છે.
2000માં આવેલી નિર્દેશક રાજ કંવરની આ ફિલ્મ બાદલમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ માટે પહેલા સનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તે વ્યસ્ત હોવાથી તેની પાસે તારીખોનો અભાવ હતો, તેથી તેણે આ ફિલ્મ માટે ડિરેક્ટર અને મેકર્સને તેના ભાઈ બોબીનું નામ સૂચવ્યું અને આ રીતે ફિલ્મ બોબીને હિટ થઈ અને તેના ભાઈ બોબીને ઘણી ક્રેડિટ મળી હતી.
2000માં બનેલી દિગ્દર્શક રાજકુમાર સંતોષીની આ ફિલ્મ પુકારમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં હતા. કહેવાય છે કે આ ફિલ્મમાં સની દેઓલની એન્ટ્રી પણ થવાની હતી, પરંતુ ડાયરેક્ટર સાથેના કેટલાક વિવાદને કારણે સનીએ આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી.
વર્ષ 2001માં રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત આ મલ્ટી સ્ટારર ફિલ્મ લજ્જામાં સની દેઓલ પણ જોવા મળવાનો હતો. મેકર્સે પહેલા આ ફિલ્મમાં અજય દેવગનના રોલ માટે સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સનીએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી, જેના કારણે આ ફિલ્મ અજય દેવગન પાસે ગઈ હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર, અજય દેવગન અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ અભિનેતાઓ હતા.
2019માં આવેલી ડિરેક્ટર અનુરાગ સિંહની કેસરી ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ અક્ષય પહેલા સની દેઓલને ઓફર કરવામાં આવી હતી, પરંતુ સની દેઓલ આ ફિલ્મની વાર્તામાં કેટલાક ફેરફારો કરવા માંગતો હતો, જેને મેકર્સે ના પાડી દીધી હતી, ત્યારબાદ સનીએ પણ પોતે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને પછી આ ફિલ્મમાં અક્ષય કુમાર પાછો ફર્યો હતો.ફિલ્મ પાછળથી દર્શકો અને વિવેચકોને પણ ખૂબ પસંદ પડી હતી.
તાજેતરમાં આવેલી ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ માટે એવું કહેવાય છે કે મેકર્સે સૌપ્રથમ સની દેઓલનો સંપર્ક કર્યો હતો, પરંતુ જ્યારે યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના નિર્માણ માટે પ્રવેશ કર્યો ત્યારે સની દેઓલનું નામ કેન્સલ કરવામાં આવ્યું હતુ. તેણે પોતે પણ કોઈ રસ ન બતાવતા આ ફિલ્મમાંથી પોતાને બહાર કરી દીધો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech