સુન્ની અંજુમને ઇસ્લામની ચૂંટણી યોજવા વકફ બોર્ડને રૂબરૂ થઇ રજૂઆત

  • October 12, 2024 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા અન્જુમને ઇસ્લામની ચુંટણી લોકશાહી ઢબેે યોજવા બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેનને ‚બ‚ રજુઆત કરવામાં આવી હતી.
પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચચ સંસ્થા અન્જુમને ઇસ્લામ ની ચુંટણી લોકશાહી ઢબે યોજાઇ તે સહમત જમાતોના પ્રતિનિઘિ તરીકે પોરબંદર કાજી-મુલા જમાતના પ્રમુખ યાકુબ હા‚ન મુલ્લાની આગેવાની મા અજીમબાપુ કાદરી યુસુફખાન શેરવાની એજાજભાઇ નોવ્હી વગેરે દ્વારા ગાંઘીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેન ડો.મોહસીન લોખંડવાલાને ‚બ‚ આવેદનપત્ર આપી રજુઆતો કરવામા આવી હતી.
પોરબંદર મુસ્લિમ સમાજની જમાતના પ્રમુખોની માગણી મુજબ અને  મુજબ પોરબંદર અન્જુમને ઈસ્લામ ની ચુંટણી યોજાવવામા આવે તેમાટે ગુજરાત રાજ્ય વકફબોર્ડ દ્વારા તારીખ ૨૯.૦૮.૨૦૧૯ ના રોજ બે વહીવટદારોની નિમણુંક કરવામા આવી હતી જેમા મુખ્ય કારોબારી અઘીકારી તરીકે ડો.અલ્તાફખાન રાઠોડ અને શબ્બીરભાઇ હામદાણી ની નિમણુંક કરવામા આવી હતી.  મુખ્ય વહીવટદાર અલ્તાફખાન રાઠોડ એ રાજીનામુ આપી દેતા મુસ્લિમ સમાજ ની લોકશાહી ઠબ્બે ચુંટણી યોજવા ઇચ્છતી જમાતોના પ્રમુખોમાં પણ નારાજગી જોવા મળેલ છે.
પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા અન્જુમને ઇસ્લામ સંસ્થાના ની ચુંટણી વહેલામા વહેલી તકે યોજવામા આવે અને ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના કમીટી મેમ્બર્સ ને અઘિકારી તરીકે નિમણૂંક કરવામા આવે  અને સાથે-સાથે પોરબંદર થી કોઇ સ્થાનિક આગેવાન કે જે નિષ્ઠાપુવેક અને ઇમાનદારીથી આ સંસ્થા નો કારોબારી સંભાળી શકે એવા કોઇ પ્રમાણિક આગેવાનની નિમણૂંક કરવામા આવે તેવી અમારા સાથે પોરબંદરની જમાતો ના પ્રમુખો અને સમગ્ર મુસ્લિમ સમાજ ની માગણી છે તેવી રજુઆત કરવામા આવી હતી. તેમ પોરબંદર કાજી-મુલા જમાતના પ્રમુખ યાકુબ હા‚ન મુલ્લા એ યાદી પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application