ભાવાભી ખિજડીયામાં ફોન વાપરવાની ના પાડતા યુવતિનો આપઘાત

  • December 15, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મનમાં લાગી આવતા ઝેરી દવા પીધી: પાતા મેઘપરમાં એસિડ પી લેનાર મહિલાએ સારવારમાં દમ તોડયો

કાલાવડ તાલુકાના ભાવાભી ખિજડીયા ગામમાં રહેતી યુવતિને તેના પિતાએ ફોન વાપરવાની ના પાડતા મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી મોત મીઠું કરી લીધું છે, જયારે પાતા મેઘપર ગામમાં વૃઘ્ધાને મનમાં લાગી આવતા એસિડ પી લેતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.
કાલાવડ તાલુકાના ભાવાભી ખિજડીયા ગામમાં રહેતી મોનિકાબેન અશોકભાઇ ચાવડા (ઉ.વ.૧૯) નામની યુવતિને તેમના પિતાએ મોબાઇલ ફોન વાપરવાની ના પાડતા તેણીને મનમાં લાગી આવતા તા. ૧૩ના રોજ કોઇ ઝેરી દવા પી લેતા દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે, આ અંગે અશોક મુળજીભાઇ ચાવડાએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં કાલાવડના પાતા મેઘપર ગામમાં રહેતી મણીબેન વલ્લભભાઇ રાઠોડ (ઉ.વ.૬૫) નામના મહિલા ગત તા. ૨૪-૯-૨૩ બપોરના સુમારે તેમના સાસુ ગોરીબેનને જમવાનું કહેતા સાસુને ઉપવાસ હોય અને જમવાની ના પાડતા મણીબેનને આ બાબતનું મનમાં લાગી આવ્યુ હતું, દરમ્યાન બાથરુમમાં પડેલ એસિડની બોટલમાંથી એસિડ પી લેતા પ્રથમ જામનગર ખાનગી હોસ્પીટલમાં દાખલ થયેલ, બાદમાં જી.જી. હોસ્પીટલ ખાતે અને વધુ સારવારમાં અમદાવાદ સિવીલ હોસ્પીટલમાં સારવાર કરાવી હતી.
ત્યારબાદ જી.જી. હોસ્પીટલમાં દાખલ થયા હતા, જયાં સારવારમાં તા. ૧૧-૧૨-૨૩ના રોજ રાત્રીના સુમારે મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે વલ્લભભાઇ વીરાભાઇ રાઠોડ દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરાતા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application