દેશભરમાં કારકર્દીને લઇને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનાં બનાવો પુષ્કળ પ્રમાણમાં પરિક્ષાનાં સમયે અને રિઝલ્ટ સમયે બનતા હોય છે. આ આત્મહત્યાને અટકાવવા અને વિદ્યાર્થીઓમાં અને પરિક્ષાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમન ડેવલોપમેન્ટ કાઉન્સીલ દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે.
જામનગર શહેરમાં આજથી બોર્ડની પરિક્ષાઓ શરુ થઇ છે. પરિક્ષા સેન્ટરો પર જઇને વિશ્ર્વાત્મા ચાઇલ્ડ એન્ડ વુમનનાં કાર્યકર બહેનો દ્વારા પરિક્ષાર્થીઓને શુભેચ્છાની સાથે સાથે આત્મહત્યા વિરુદ્ધી પોસ્ટરો ચિપકાવી જાગૃતતાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોઇપણ પરિક્ષાર્થીઓ હતાશા અને મુંઝવણ અનુભવે તો હેલ્પલાઇન નં. ૯૯૨૫૫ ૦૧૩૯૪ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કાર્ય માટે ૨૪૭ ઉપલબ્ધ રહી વિદ્યાર્થીઓને કાઉન્સીલીંગ કરવામાં આવશે. આ જાગૃતતા કાર્યક્રમમાં શહેરની જુદી જુદી સ્કુલોમાં આચાર્ય, સ્ટાફગણ, સહિતનાં કર્મચારીઓ મદદપ બન્યા હતા. તેમ કિરણબેન ચંદારાણા તથા સંસ્થાનાં મંત્રી કુ. વૈશાલીબેન રાયઠઠ્ઠાની સંયુકત યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech