આપણા બધાના ઘરોમાં ગોળ અને ખાંડ બંને જોવા મળે છે. પ્રાચીન કાળથી ગોળને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગોળનો ઉપયોગ અનેક ખાદ્ય પદાર્થોમાં થાય છે. આ જ કારણ છે કે વિશ્વનો 70% જેટલો ગોળ ભારતમાં જ ઉત્પન્ન થાય છે.
આયુર્વેદમાં પણ ગોળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. તેનો ઉપયોગ દવાઓમાં પણ થાય છે. ગોળની જેમ શેરડીના રસમાંથી ખાંડ પણ બનાવવામાં આવે છે પરંતુ બંનેની સ્વાસ્થ્ય પર અલગ-અલગ અસર પડે છે. ખાંડને વધુ ખતરનાક માનવામાં આવે છે, જ્યારે ગોળ ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બંને એક જ વસ્તુથી બનેલા છે તો બંને વચ્ચે આટલો તફાવત કેવી રીતે?
ખાંડ કેમ નુકસાનકારક અને ગોળ કેમ ફાયદાકારક છે?
ખાંડ અને ગોળ શેરડીમાંથી બનતા હોવા છતાં બંનેને અલગ અલગ રીતે પ્રોસેસ કરવામાં આવે છે. તેથી ખાંડ કરતાં ગોળમાં વિવિધ તત્વો જોવા મળે છે. ગોળમાં પ્રાકૃતિક ખાંડ હોય છે, જે તેને વધુ શક્તિશાળી બનાવે છે. તેમાં વિટામિન અને ખનિજો વધુ હોય છે, જ્યારે સુક્રોઝ ખાંડ કરતાં ઓછું હોય છે.
નિષ્ણાતોના મતે, સારી ગુણવત્તાના ગોળમાં 70% સુધી સુક્રોઝ જોવા મળે છે, જ્યારે સફેદ ખાંડમાં તેનું પ્રમાણ 99.7% સુધી હોય છે. સફેદ ખાંડમાં ન તો પ્રોટીન, ન ચરબી, ન ખનિજો કે વિટામિન્સ જોવા મળે છે. જ્યારે ગોળમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ અને આયર્ન હોય છે . તેથી તે વધુ ફાયદાકારક છે.
શું વધુ પડતો ગોળ ખાવાથી નુકસાન થાય છે?
ઘણા સંશોધનોમાં સાબિત થયું છે કે ખાંડ કરતાં ગોળ ખાવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે પરંતુ સંતુલિત માત્રામાં જ ગોળ ખાવો તે વધુ સારું છે. એક સમયે 100 ગ્રામ ગોળ ખાવાથી 340 કેલરી એનર્જી મળે છે. વધુ માત્રામાં ગોળ ખાવાથી ખાંડ ખાવા જેટલું જ નુકસાન થાય છે.
વધુ પડતી ખાંડ ખાવાના ગેરફાયદા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech