રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ હેઠળ બન્ને બાળકો ની હૃદયના કાણાંની સમગ્ર સર્જરી અને સારવાર તદ્દન વિનામૂલ્યે થઈ
જામનગર તાલુકાના લાખા બાવળ આરોગ્ય કેન્દ્ર માં આવતા કનસુમરા ગામ ના રહેવાસી સેન્ટીંગ કામ ની મજુરી કામ કરતા વિનોદભાઈ બગડા ની ૯ માસ ની પુત્રી રીયાંસી છેલ્લા ૧ મહિના થી શ્વાસ ચડવો , શરદી , તાવ , ઉધરસ જેવી તકલીફ થતી હતી.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડ હેઠળ આવતા મસીતીયા ગામ ના મજુરી કામ કરતા ઈસ્માઈલભાઈ ખફી ના ૯ માસ નો પુત્ર શાહનવાઝ થોડા સમય થી તાવ , કફ , શ્વાસ ચડવો , ઉધરસ તેમજ વારંવાર બીમાર રહેતો હતો.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ , લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર ના ડો.ભૂમિ ઠુંમર અને દરેડ આરોગ્ય કેન્દ્ર ના ડો. પ્રવીણ પટેલ ના માર્ગદર્શન હેઠળ કામ કરતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ ના ડો. રિધ્ધિ ચૌહાણ , ડો.મહેશ ભીમાણી , કિષ્નાબેન ડાંગર અને નિશાબેન કાલરીયા દ્વારા બને બાળકો ને ગૃહ મુલાકાત કરી તપાસ કરી વધુ સારવાર માટે સંદર્ભ કાર્ડ ભરી જામનગર ની જી.જી.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ ખાતે બાળકો ની પ્રાથમિક તપાસ , લોહીના રીપોર્ટ વગેરે ની તપાસ કરતાં રીપોર્ટ માં હૃદયમાં કાણું હોવાનું જણાયા બાદ બને પરિવાર ને તબીબો ની ટીમ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી વધુ સારવાર માટે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
જ્યાં યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોકટર ની ટીમ દ્વારા ખૂબ જ કૂનેહથી શસ્ત્રક્રિયા અને જરૂરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકને ૧૫ દિવસ દાખલ રાખી સારવાર કરી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી, અને દર ૬ મહીને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું. આ બને બાળકો હાલ નોર્મલ જીવન જીવી રહ્યા છે.
બંનેના માતા પિતા અને પરિવાર ગદગદિત થઈ ડૉકટરો અને આરોગ્ય તંત્રને વખાણીને સર્વ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા દીકરી ની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન ( સર્જરી ) તદ્દન વિનામૂલ્ય કરવામાં આવી હતી. તેમ ડિસ્ટ્રિકટ સોસીયલ બીહેવ્યર ચેન્જ કોમ્યુંનીકેટર ચિરાગભાઈ પરમાર અને તબીબો ની ટીમ જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech