સમિતિ હસ્તકની ૪૪ માંથી ૩૫ શાળાના ગુણોત્સવના માર્કમાં વધારો થયો: આઠ શાળા રેડ ઝોન માંથી યલો ઝોન માં આવી
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૪૪ શાળાઓ આવેલી છે. તમામ શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ ૮માં ૧૨૦૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. તમામ પ્રાથમિક શાળાઓમાં સરકારશ્રી દ્વારા નિમાયેલા અને તાલીમ પામેલા શિક્ષક ભાઈ-બહેનો દ્વારા વર્ગ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસની બાબતે અનેક સુધારા - વધારા થઈ રહ્યા છે અને તેના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ થઇ રહ્યા છે. અને તેના માધ્યમથી શિક્ષણનાં દરેક પાસાઓની ચકાસણી કરવામાં આવે છે. અને તેનો સમગ્ર અહેવાલ રાજ્યકક્ષાએથી નક્કી થયેલા અધિકારીશ્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
જેના આધારે શૈક્ષણિક બાબતો જેવીકે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી, ભૌતિક સુવિધાઓ, ટેકનોલોજી રમતગમત- વિજ્ઞાનમેળો- પ્રવાસ પર્યટન- વર્ષ દરમ્યાન લેવાતી પરીક્ષાઓ તેમજ શાળામાં ચાલતી પ્રવૃતિઓને ધ્યાને લઇ અને વર્ષ દરમ્યાનનું મૂલ્યાંકન કરી અને તેના આધારે શાળાઓના ગ્રેડ નક્કી કરવામાં ગુણોત્સવ ૨૦૨૩-૨૪ હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૪૪ શાળાઓમાં ૩૫ જેટલી શાળાઓ ગતવર્ષ કરતા વધારે માર્ક દેવામાં આવ્યા છે. જેમાં ૮ શાળા રેડઝોનમાંથી નીકળી યેલોઝોનમાં આવી ગઇ છે. જેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓનો વિકાસ થયો છે, તે સ્પષ્ટ દેખાઈ આવે છે, તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા દ્વારા જણાવાયું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મળી રહે તેવા શુભ આશયથી સરકારશ્રી દ્વારા શાળાઓમાં સ્માર્ટક્લાસ આપવામાં આવેલા છે. જેમાં ટેકનોલોજીના માધ્યમથી ઓડિયો - વિડીયો સાથે પાઠયપુસ્તક આધારિત શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે. અને ડીજીટલ બ્લેક બોર્ડ દ્વારા બાળકોને શિક્ષણકાર્ય કરાવવામાં આવે છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હસ્તકની દરેક શાળાના ક્લાસરૂમો સ્માર્ટક્લાસ બની ગયા છે. વિદ્યાર્થીઓને વિડીયો મારફત અભ્યાસ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોને અભ્યાસમાં રૂચી રહે છે. અને યાદશક્તિમાં ઘણો બધો વધારો થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના દરેક ક્લાસ સ્માર્ટ ક્લાસ આ વર્ષે પૂર્ણ થયા છે. તે પણ જામનગર માટે ગૌરવની બાબત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech