પોરબંદરમાં સાગરપુત્રો માટે સબસીડીયુકત પેટ્રોલપંપનો થયો શુભારંભ

  • August 21, 2024 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના નાના માછીમારોને સબસીડીયુકત પેટ્રોલ મળી રહે તે માટે જી.એફ.સી.સી.એ.ના પેટ્રોલપંપનો શુભારંભ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં જે ફાઇબર પ્રકારની નાની બોટ છે તેમાં પહેલા કેરોસીન ઇંધણ તરીકે વપરાતુ હતું, વર્ષ ૨૦૨૨થી રાજ્ય સરકારે નિર્ણય કરીને કેરોસીનની જગ્યાએ પેટ્રોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. જેની સામે પેટ્રોલ પર જે સેલ ટેકસ લેવામાં આવે છે તેમાં સબસીડી આપવાની જાહેરાત સરકારે કરી હતી. 
જેનો અમલ ગુજરાત ફીશરીઝ સેન્ટ્રલ કોર્પોરેટિવ એસોસીએશન લીમીટેડ (જી.એફ.સી.સી.એ.) મારફતે કરવાનું નક્કી કરાયુ હતુ. પરંતુ પોરબંદરમાં બંદર ઉપર જી.એફ.સી.સી.એ.ને પંપ શ‚ કરવા માટે  જમીનની ફાળવણી થયેલ ન હોવાથી સબસીડી સાથેના પેટ્રોલનું વિતરણ થઇ શ‚ થઇ શકયુ ન હતું. આ અંગે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાને રજૂઆત મળતા તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરી હતી કે માછીમારીની નવી સિઝન શ‚ થાય તે પહેલા જી.એફ.સી.સી.એ.ને ઝડપથી પંપ શ‚ કરવા માટે જમીન આપવામાં આવે, તેમજ સબસીડી સાથેના પેટ્રોલનું વિતરણ શ‚ કરવામાં આવે જેના પગલે રાજ્ય સરકારે જી.એફ.સી.સી.એ.ને પંપ શ‚ કરવા માટે જમીન ફાળવી દીધી છે. જે જમીન ઉપર પંપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેને ધારાસભ્ય અર્જનભાઇ મોઢવાડીયાએ પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ સહિતના અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂલ્લો મૂકયો હતો.
જી.એફ.સી.સી.એ.ના આ પંપ ઉપરથી માછીમારભાઇઓને સબસીડી સાથે પેટ્રોલનું વિતરણ કરવામાં આવશે. જેના કારણે માછીમાર ભાઇઓ ઉપર  પડતો આર્થિક બોજો ઓછો થશે અને માછીમાર ઉદ્યોગને મોટી રાહત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application