જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટરને રજુઆત

  • July 26, 2023 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીએલઓ તથા અન્ય પ્રશ્ર્નોનો નિવેડો લાવવા કરાતી માંગણી

બીએલઓને કરવાના થતા હાઉસ ટુ હાઉસ સર્વે અને અન્ય પડતી મુશ્કેલીઓ તેમજ અન્ય પ્રશ્ર્નો બાબતે જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર-જીલ્લા ચુંટણી અધિકારીને રજુઆત કરવામાં આવી છે, આ રજુઆત વેળાએ મોટી સંખ્યામાં શિક્ષકો સહિતના જોડાયા હતા.
તા-૨૫/૦૭/૨૦૨૩ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, જામનગર દ્વારા જિલ્લા ના પ્રાથમિક શિક્ષકોને બી.એલ.ઓની કામગીરીમા પડતી મુશ્કેલીઓ, ઓનલાઇન હાઉસ ટુ હાઉસ કામગીરી શાળા સમય દરમ્યાન કરવા, ૩ વર્ષ થયેલ બી.એલ.ઓને મુક્તિ આપવી અને અન્ય કેડરના કર્મચારીઓને બી.એલ.ઓ માં નિમણુંક કરવી તથા અન્ય પ્રશ્નો બાબતની રજુઆત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જામનગરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે.
આ રજુઆત વેળાએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અને જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી, રાજેન્દ્રસિંહ જાડેજા, જામનગર તાલુકા સંઘના મંત્રી પંકજભાઈ વિરડીયા, સિનિયર ઉપ પ્રમુખ હરદેવસિંહ પરમારની આગેવાનીમાં જિલ્લાના બી.એલ.ઓ./ પ્રાથમિક શિક્ષકો હાજર રહી તેમના દ્વારા રજુઆત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application