ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી જૂન માસમાં લેવાનારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનો શેડયુલ જાહેર કર્યા પછી હવે ધોરણ 10 ની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાનું શેડ્યુલ જાહેર કર્યુ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આગામી તારીખ 20 મે સાંજે 5:00 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે.
બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ સચિવ દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાની આ પ્રક્રિયા દરમિયાન પરીક્ષાર્થીઓ ગણિત વિષયની પસંદગી બદલી શકે છે. એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ પસંદ કરી શકશે.
બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામક દ્વારા વધુમાં જણાવ્યું છે કે જે વિદ્યાર્થી માર્ચ 2025 ની પરીક્ષા બેઝિક ગણિત સાથે પાસ થયા છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધોરણ 10 ની માર્ચ 2025 ની પરીક્ષા નું ફોર્મ ભરેલ હોય તે શાળામાંથી જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે આઇસોલેટેડ ઉમેદવાર તરીકે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.
જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા તો એક કે તેથી વધુ વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ 2025 ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની માધ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2025 માં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષામાં બેસી શકશે.
ધોરણ 12 ની માફક ધોરણ 10 માં પણ માત્ર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે. રૂબરૂ કે ટપાલ મારફત આવેલા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે તેવી સ્પષ્ટ જાહેરાત પણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
ધોરણ 10 નું પરિણામ બોર્ડ દ્વારા તારીખ 8 મે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઈટ પર તારીખ 20 મેના રોજ સાંજે 5:00 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઈન અરજી કરી શકશે. આ માટે જે ફી નક્કી કરવામાં આવી છે તે પણ એસબીઆઈ ઈપેમેન્ટ સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા અથવા એસબીઆઈ ઇપેમેન્ટ પર કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech