વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને શિક્ષણ વિભાગે લીધો રાહતનો શ્ર્વાસ

  • March 18, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી અને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ, શિક્ષકો અને શિક્ષણવિભાગે પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
પોરબંદરમાં સોમવારે ધોરણ-૧૨ની સંસ્કૃત વિષયની પરીક્ષા લેવાઇ હતી જેમાં કુલ નોંધાયેલા ૫૭૪ વિદ્યાર્થીઓમાંથી ૫૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ચાર છાત્રો ગેરહાજર રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું સુચા‚ આયોજન કરવામાં આવ્યુ હતુ અને પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી વી.કે.પરમાર, એસ.એસ.સી.ના ઝોનલ અધિકારી સંદિપ સોની, એચ.એસ.સી.ના ઝોનલ અધિકારી નમ્રતાબેન વાઘેલાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓએ નિર્ભયપણે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે આયોજન ગોઠવાયુ હતુ અને પરીક્ષાના પ્રથમ દિવસથી જ ઉચ્ચ અધિકારીઓએ કુમકુમ તિલક કરી છાત્રોને નિર્ભયતાથી પરીક્ષા આપવા શુભકામના આપી હતી. અગાઉ ધોરણ ૧૦ની હવે સોમવારે ધો. ૧૨ની પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠયા હતા. નવયુગ વિદ્યાલય ખાતેથી ઘરે ભણતરનો બોજ હળવો કરીને જતા વિદ્યાર્થીઓના ચહેરા જોઇને શિક્ષકો પણ ખુશખુશાલ બની ગયા હતા અને સંપૂર્ણપણે શાંતિમય વાતાવરણમાં પરીક્ષા પૂરી થઇ છે ત્યારે તેઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application