કાનપુર આઈઆઈટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. છેલ્લા એક વર્ષમાં અહીં અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ગઈકાલે આઈઆઈટીમાં પીએચડી કરી રહેલા એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીનું નામ પ્રગતિ છે તે અર્થશાસ્ત્રમાં પીએચડી કરી રહી હતી. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.
પ્રગતિ કાનપુરની રહેવાસી હતી અને અભ્યાસમાં હોનહાર હતી. તે કેવી રીતે આત્મહત્યા કરી શકે તે અંગે પરિવારમાં કોઈ વિશ્વાસ કરી શકતું નથી. આઈઆઈટીનાં હોલ નંબર ચારમાં પ્રગતિનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. તેના સાથીદારો પણ કહે છે કે તે ખૂબ જ ખુશખુશાલ અને ખુશ વિદ્યાર્થીની હતી. ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને સૌથી પહેલા પ્રગતિના મૃત્યુની જાણ થઈ હતી. ત્યારબાદ ઈઆઈટી મેનેજમેન્ટે આ માહિતી પ્રાદેશિક પોલીસને આપી હતી. પ્રગતિના મૃતદેહ સાથે એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. પરંતુ મૃત્યુ કોઈ કારણ વગર થયું ન હતું.
તેના કાકા ગોપાલ દાસે જણાવ્યું હતું કે તેમની પુત્રી મૃત્યુને ગળે લગાડનારી નથી અને તેણે ક્યારેય તેણીને અસ્વસ્થ જોઈ નથી. પરિવારજનોનો આરોપ છે કે તેમની પુત્રીના મૃત્યુ બાદ આઈઆઈટીનાં મેનેજમેન્ટમાંથી કોઈ શબઘરમાં આવ્યું નથી. આઈઆઈટી મેનેજમેન્ટ માત્ર માહિતી આપીને નાસી છૂટ્યું છે. આઈઆઈટીનાં મેનેજમેન્ટે વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેણે જણાવ્યું કે પ્રગતિએ 2021માં એડમિશન લીધું હતું. તે અર્થશાસ્ત્રમાં પીએચડી કરી રહી હતી અને તેના નિધનથી બધા દુખી છે. આ મામલે તપાસ કયર્િ બાદ કલ્યાણપુર પોલીસે જણાવ્યું કે તેઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એડિશનલ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનો, શિક્ષકો અને મિત્રો સાથે વાતચીત ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech