રાજકોટની આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં છાત્રાનો એસિડ પી આપઘાત

  • April 08, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસે આવેલી આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નર્સિંગ છાત્રાએ એસિડ પી ને આપઘાત કરી લેતા હોસ્ટેલમાં અરેરાટી મચી જવા પામી છે. યુવતી પડધરી ગામે રહેતી હતી અને બે દિવસ પહેલા જ ઘરે રજામાં ગઈ હતી ગઈકાલે આવ્યા બાદ પગલું ભરી લીધું હતું. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ પડધરીની અને હાલ રાજકોટ-જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક સામે આવેલી આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહી જીએનએમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ખુશ્બૂ નટુભાઈ પરમાર (ઉ.વ.20)ની યુવતીએ ગઈકાલે બપોરે હોસ્ટેલના રૂમમાં એસિડ પી લેતા હોસ્ટેલના સંચાલકો સહિતના દોડી ગયા હતા અને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર બે ભાઈ બે બહેનમાં વચેટ હતી. હોસ્ટેલથી ઘરે જવા માટે બે દિવસની રજા લીધી હતી અને શુક્ર શનિ ઘરે રજામાં ગયા બાદ પરત આવી ગઈકાલે પગલું ભરી લીધું હતું. યુવતીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application