ઉદયઉપરના ચપ્પુબાજીની ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દેવરાજનું સારવાર દરમિયાન મોત

  • August 19, 2024 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદયપુરમાં ચપ્પુબાજીની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થી દેવરાજનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેઓ કેટલાક દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી આ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે.


ઉદયપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ છરીના ઘા માર્યા બાદ ઘાયલ થયેલા દેવરાજનું મોત થયું છે. ઘટના બાદ દેવરાજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે એમબી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ પછી હોસ્પિટલનો એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી દેવરાજના મોત બાદ હોસ્પિટલની બહાર કલેક્ટર એસપી સહિત ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.


કેટલાક વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ રહી બંધ 

આ ઘટનાના પગલે ફાટી નીકળેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે રવિવારે જિલ્લાના ઘણા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો રવિવારે અહીંના મુખરજી નગર ચોક ખાતે એકઠા થયા હતા અને મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલ સુધી રેલી કાઢી હતી. તેણે હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને મળવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application