ઉદયપુરમાં ચપ્પુબાજીની ઘટનામાં ઘાયલ વિદ્યાર્થી દેવરાજનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેઓ કેટલાક દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી આ દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું છે.
ઉદયપુરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ છરીના ઘા માર્યા બાદ ઘાયલ થયેલા દેવરાજનું મોત થયું છે. ઘટના બાદ દેવરાજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે એમબી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. આ પછી હોસ્પિટલનો એક દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થી દેવરાજના મોત બાદ હોસ્પિટલની બહાર કલેક્ટર એસપી સહિત ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. હોસ્પિટલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેટલાક વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ રહી બંધ
આ ઘટનાના પગલે ફાટી નીકળેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે રવિવારે જિલ્લાના ઘણા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહી હતી. વિદ્યાર્થીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો રવિવારે અહીંના મુખરજી નગર ચોક ખાતે એકઠા થયા હતા અને મહારાણા ભૂપાલ સરકારી હોસ્પિટલ સુધી રેલી કાઢી હતી. તેણે હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીને મળવા ન દેવાનો આરોપ લગાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech