ઘણીવાર લોકો બજારમાંથી આખા અઠવાડિયા માટે શાકભાજી લાવે છે. આનાથી તેમનો સમય બચે છે. પરંતુ જો ઘણા શાકભાજીનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરવામાં આવે તો તે બગડી જાય છે અને સુકાય જાય છે અથવા સડી જાય છે. ત્યારે શાકભાજી સાથે સાથે તમારા પૈસા અને સમય બન્ને બરબાદ થાઇ છે. તેમને રેફ્રિજરેટરમાં યોગ્ય રીતે સંગ્રહિત કરીને તેમને થોડા દિવસો માટે તાજા રાખી શકાય છે અને સડવાથી બચાવી શકાય છે. પરંતુ ભીંડા જેવા ઘણા શાકભાજીઓ છે જેને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ભીંડા ખૂબ જ ઝડપથી બગડે છે. જો ભીંડાને બે દિવસ ફ્રીજમાં કે બહાર રાખો છો તો તે સુકાઈ જાય છે. જો આપ ભીંડા ઘરે લાવ્યા છો, તો તમે તેને સ્ટોર કરવાની યોગ્ય રીત જાણીને તેને બગડતા બચાવી શકો છો. ભીંડાને લાંબા સમય સુધી લીલા અને તાજા રાખવાની સરળ ટિપ્સ વિશે જાણો.
ભીંડા ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
ભીંડાને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોવ તો ભીંડા ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. ભીંડા નરમ હોવા જોઈએ અને તેમાં ઘણા બધા બીજ પણ ન હોવા જોઈએ.
ભીંડા ખરીદતી વખતે તેના કદ અને રંગ પરથી જાણી શકો છો કે તે કૃત્રિમ રીતે ઉછેરવામાં આવે છે કે સ્વદેશી ભીંડા છે. નાની સાઈઝનાં ભીંડાએ સ્વદેશી છે. શ્રેષ્ઠ ભીંડા પુસા એ-4 છે, જે કદમાં મધ્યમ અને ઘેરા લીલા રંગના છે. આ પ્રકારનાં ભીંડામાં ગ્લુટેન ઓછું હોય છે. જેના કારણે તેનો સ્વાદ સારો હોય છે અને તેને ઘણા દિવસો સુધી સ્ટોર કરી શકાય છે.
ભીંડાને સ્ટોર કરવાની ટિપ્સ
ભીંડાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ભેજથી દૂર રાખવા જોઈએ. જ્યારે ભીડા ખરીદો ત્યારે પહેલા તેને સૂકવી દો જેથી તેના પરનું પાણી સુકાઈ જાય.
ભીંડાને સૂકા કપડામાં લપેટીને હવાચુસ્ત પાત્રમાં રાખો. જેથી ભીંડામાં ભેજ ન આવે. આના કારણે ભીંડા ઝડપથી બગડતા નથી.
ભીંડાને ફ્રીજમાં રાખવાની ટિપ્સ
જો તમે ફ્રિજમાં ભીંડા રાખતા હોવ તો તેને પોલિથીન કે વેજીટેબલ બેગમાં ભરીને ફ્રીજમાં રાખો. જો તમે પોલીથીનમાં ભીંડા રાખતા હોવ તો તેમાં 1-2 છિદ્રો કરો.
જો તમે ફ્રિજની વેજ બાસ્કેટમાં ભીંડા રાખવા માંગતા હોવ તો પહેલા વેજ બાસ્કેટમાં ન્યૂઝપેપર અથવા પેપર ફેલાવો. પછી એક પછી એક ભીંડા ગોઠવો. આનાથી શાકભાજીમાંથી પાણી કાગળ પર નીકળી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ માટે માર્ગ મોકળો
September 21, 2024 10:56 AMએનઆઈટી પટનામાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ કર્યો હંગામો
September 21, 2024 10:52 AMશનિધામના દાતી મહારાજ સામે દુષ્કર્મના કેસમાં આરોપો ઘડાયા
September 21, 2024 10:49 AMચીને બાળકોને દત્તક આપવાની નીતિ બંધ કરી, વિદેશી યુગલોની ઈચ્છા રહેશે અધૂરી
September 21, 2024 10:40 AMભારતમાં કર્મચારીઓ પર કામનું ભારણ વધુ : ઓવરવર્ક કરવા મામલે વિશ્વમાં બીજા સ્થાને
September 21, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech