સરકાર દ્રારા યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી રાજકોટ સહિત રાયભરની શાળા હોય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના પછી શિક્ષણ વિભાગ દ્રારા તમામ ડી.ઇ.ઓ.ને પરિપત્ર જાહેર કરી તમામ શાળાઓને સૂચના આપવા તાકીદ કરી છે. શિક્ષણ તત્રં દ્રારા ટૂંક સમયમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.
નવી ગાઈડલાઈન જાહેર થશે તે મુજબ શાળાઓ દ્રારા પ્રવાસનું આયોજન કરવામાં આવશે જોકે શિક્ષણ વિભાગ કયારે આ નવી ગાઈડલાઈન જાહેર કરશે તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી પરંતુ ત્યાં સુધી પ્રવાસ અંગેની મંજૂરી કોઈપણ સ્કૂલ આપી શકશે નહીં. થોડા સમય પહેલા હરણી તળાવમાં બોર્ડ પલટી ખાઈ જતાં બાર જેટલા બાળકોનો ભોગ લેવાયો હતો અને બે શિક્ષકોના મૃત્યુ નીપયા હતા ત્યારબાદ સમગ્ર રાયમાં શાળાઓ દ્રારા પ્રવાસ યોજવા અંગે નવા નિર્ણયો અને નિયમોમાં ફેરફાર કરવા માટે માંગણી ઉઠી હતી. આ ઘટના બાદ શૈક્ષણિક તત્રં વધુ સચેત બન્યું છે. એમાં હવે શાળાઓ દ્રારા લઈ જવામાં આવનારા શૈક્ષણિક પ્રવાસ માટે શિક્ષણ વિભાગ દ્રારા નવી ગાઈડલાઈન તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શાળાઓ દ્રારા સામાન્ય રીતે દિવાળી બાદ નવેમ્બર ડિસેમ્બર દરમિયાન પ્રવાસ યોજાતા હોય છે આથી શૈક્ષણિક પ્રવાસને લઈને કમિશનર ઓફ કચેરી દ્રારા રાયના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર આપવામાં આવ્યો છે જેમાં જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની કચેરી દ્રારા સરકારી, ગ્રાન્ટેડ કે પછી ખાનગી શાળાઓને પ્રવાસ માટેની મંજૂરી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી આપી શકાશે નહિ
દિવાળી વેકેશન બાદ શાળાઓ દ્રારા પ્રવાસ થતાં હોય છે
રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતની મોટાભાગની શાળાઓમાં સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસની મોસમ શ થતી હોય છે. પ્રથમ શૈક્ષણિક સત્ર ની પરીક્ષા પૂરી થયા બાદ તરત જ દિવાળી વેકેશન આવી જતું હોવાથી આ વેકેશન પૂં થયા બાદ બીજા શૈક્ષણિક સત્રમાં રાયમાં શૈક્ષણિક પ્રવાસની મોસમ શ થતી હોય છે. આથી શાળા સંચાલકો દ્રારા આ સમયગાળામાં નવી લાઈન જાહેર કરવા માટે માંગણી કરવામાં આવી છે
નવી ગાઈડલાઈન જલ્દીથી અને સ્પષ્ટ્ર જાહેર કરવા શાળા સંચાલકોની માંગણી
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડી.વી. મહેતાએ આજકાલ સાથેની વાતચીતમાં આશા વ્યકત કરી હતી કે ટૂંક સમયમાં જ શિક્ષણ વિભાગ દ્રારા પ્રવાસને લઈને નવી ગાઈડલાઈન અને સાથે સ્પષ્ટ્ર ગાઈડ લાઈન આવે તો શાળા સંચાલકોને પણ સરળતા રહે. શૈક્ષણિક પ્રવાસ નો આશય વિધાર્થીઓની આંતરિક પ્રતિભા સાથે સામાજિક ઘડતર વિકસાવાનો હોય છે. આથી શાળાઓ દ્રારા પ્રવાસના આયોજનો કરાતા હોય છે. પ્રવાસો પણ યાં પ્રકૃતિ તેમજ જ્ઞાનની આપ લે થાય તેવા સ્થળો પર આયોજન કરવામાં આવતા હોય છે. શાળા સંચાલકોની જવાબદારી સાથે શિક્ષણ વિભાગે પણ સ્પષ્ટ્ર ગાઈડલાઈન આપી, વાલીઓ પણ સજાતા દાખવે અને અમુક નિયમોમાં તેમની પણ જવાબદારી સમજે તો શાળા સંચાલકોને પ્રવાસ કરવાનું આયોજન સરળ રહે અને પ્રવાસના માધ્યમથી વિધાર્થીઓને ઘણું શીખવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech