રાયભરમાં આરંભાયેલી હેલમેટ ઝુંબેશ રાજકોટ શહેરમાં પણ ચાર દિવસથી ચાલુ થઈ હોય તેની સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્રારા દિવાળીના પર્વ પર લોકોને હેરાન ન કરવા અને હેલમેટ નામે દંડનીય કાર્યવાહી થાય છે તેના બદલે ટ્રાફીક નિયમન સુદ્રઢ બને, રસ્તાઓ પરના ખાડા રીપેર થાય રોડ રીપેર કરાવવામાં આવે તો પણ લોકોની વાહન ચાલકોની હાલાકી ઘટે તેવી પોલીસ કમિશનરને સંબોધીને લેખીત રજૂઆત કરી છે.
હાલ ટ્રાફીક હેલમેટ ડ્રાઈવ સરકારી કચેરીઓમાં ચાલી રહી છે. રસ્તા પર ટુ વ્હીલર લઈને જતા સામાન્ય વાહન ચાલકોને પણ હવે હેલમેટ બાબતે દંડનીય કાર્યવાહી થતી હોવાની શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ લેખીત રજુઆત કરી છે. વધુમાં જણાવ્યા પ્રમાણે શહેર પોલીસ રોજીંદા ટ્રાફીક નિયમન નામે આઠ લાખ જેવો દડં વસુલે છે. હવે હેલમેટના નામે દડં લેવાનું શરૂ થયું છે.
દિવાળીના પર્વ પર લોકો ખરીદી અર્થે નીકળતા હોય છે. ટ્રાફીકની સમસ્યા રહે છે તે ખરેખર પોલીસે સરખી કરાવવી જોઈએ. હેલમેટમાં ધ્યાન દેવાના બદલે ટ્રાફીક વહન સુદ્રઢ રહે તેવી કામગીરી થાય તેના પર નજર રાખવા અનુરોધ કરાયો છે.
હેલમેટના બદલે પોલીસ ટ્રાફીક પોઈન્ટ પર વ્યવસ્થિત બંદોબસ્ત ફરજમાં રહે. મહાપાલિકા સાથે સંકલન કરી દિવાળી પુર્વે શહેરમાં ભાંગી ગયેલા રસ્તાઓ, ખાડાઓ બુરાવવા જોઈએ. રસ્તાઓ રીપેર થાય તો અકસ્માતો ઘટી શકે. આવા ખરાબ રસ્તાઓ, ખાડાઓના કારણે હેલમેટ પહેર્યું હોવા છતાં જીવલેણ અકસ્માતો થતા હોવાનું જેથી દંડનીય કાર્યવાહી પહેલા રસ્તાઓ રીપેર, ટ્રાફીક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માગણી કોંગ્રેસ દ્રારા કરાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech