રણજીતનગર વિસ્તારમાં રંગથી રમી રહેલા બાળકને પથ્થર માર્યો

  • March 17, 2025 11:36 AM 

જામનગરના રણજીતનગર વિસ્તારમાં હોળી ધુળેટીમાં કલર રમી રહેલા બાળકને માથામાં પાણો માયર્નિી તેમજ બાળકના પિતાને ધાક ધમકી દીધાની અહી રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામનગરના રણજીતનગર બકાલા માર્કેટ પાસે બ્લોક એ/2માં રહેતા જાનકીબેન ઇશ્ર્વર ઉર્ફે પિયુષભાઇ દુધરેજીયા (ઉ.વ.34) નામની મહિલાનો 8 વર્ષનો પુત્ર ભવ્ય હોળી ધુળેટીના તહેવારમાં ઘરની બહાર કલરથી રમતો હતો, ત્યારે પાડોશમાં રહેતા પ્રદિપ જેન્તી વીછી નામના શખ્સે જાણી જોઇને ફરીયાદીના પુત્રને છુટો પથ્થરનો ઘા માથાના ભાગે માર્યો હતો, આથી ફરીયાદીના પતિએ આરોપીને કહેલ કે કેમ મારા દીકરાને પાણો માર્યો તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી હવે પછી અહીં રમવુ નહીં અને જો અહી રમ્યા છો તો બધાને પતાવી દઇશ તેવી ધમકી દીધી હતી. આ બનાવ અંગે જાનકીબેન દ્વારા સીટી-સી ડીવીઝનમાં રણજીતનગર પટેલ સમાજ બ્લોક નં. એ/2-13 ખાતે રહેતા પ્રદિપ જેન્તી વીછીની સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application