વંદે ભારત એકસપ્રેસને પાટા પરથી ઉતારવાના પ્રયાસના બીજા જ દિવસે ઉદયપુરમાં ઇન્ટરસિટી એકસપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હતી. અરાજકતાવાદીઓએ ફેંકેલા પથ્થરો ટ્રેનના કાચ પર અથડાયા હતા, જેનાથી કાચ તૂટી ગયા હતા, પરંતુ કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. જીઆરપી અને સ્થાનિક પોલીસે મામલાની તપાસ શ કરી છે. એવી આશંકા છે કે આ ઘટના નશાખોરો દ્રારા અંજામ આપવામાં આવી હોઈ શકે છે.એક દિવસ પહેલા જ અરાજકતાવાદીઓએ જયપુર–ઉદયપુર વંદે ભારતને પાટા પરથી ઉતારવા માટે ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો નાખ્યા હતા.
હવે જયપુર–ઉદયપુર ઇન્ટરસિટી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બની હતી. માહિતી મળતાં જ રેલવે પોલીસ, આરપીએફ અને સિવિલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શ કરી હતી. પોલીસ હાલમાં આ કેસને નશાખોરોનું કૃત્ય ગણાવી રહી છે, પરંતુ આ ઘટનાઓ પાછળ કોઈ મોટું ષડયત્રં હોવાનો પણ હોઈ શકે છે.
પથ્થર ટ્રેનના કાચ પર પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર જયપુરથી ઈન્ટરસિટી ટ્રેન ઉદયપુર આવી રહી હતી. રાત્રે લગભગ ૯.૧૫ વાગ્યે ટ્રેન ઉદયપુર શહેરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારની બેડવાસ કચ્છી બસ્તી પર પહોંચી કે તરત જ ટ્રેન પર પથ્થરો પડવા લાગ્યા હતા. પથ્થર ટ્રેનના કાચ પર પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech