છત્તીસગઢના મહાસમુંદમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અહીં બાગબહરા રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનનાં ત્રણ ડબ્બાનાં કાચ તૂટી ગયા છે.
RPF ઓફિસરના જણાવ્યા અનુસાર, 16મી સપ્ટેમ્બરથી વંદે ભારત ટ્રેન દોડશે તેનું ગઈકાલે ટ્રાયલ હતું. જે સવારે 7.10 વાગ્યે મહાસમુંદથી નીકળી હતી. 9 વાગ્યાની આસપાસ કેટલાક અસામાજિક તત્વોએ બગબહેરા નજીક એક ચાલતા વાહન પરથી પથ્થરમારો કર્યો હતો. ત્યારે સહાયક પાર્ટી ટ્રેનમાં હથિયારો સાથે હતી. માહિતી મળ્યા બાદ તરત જ એક ટીમે જઈને તપાસ કરી હતી અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓના નામ શિવ કુમાર બઘેલ, દેવેન્દ્ર કુમાર, જીતુ પાંડે, સોનવાણી અને અર્જુન યાદવ છે. આ પાંચેય એરોપીઓ બાગબહરાના છે. આરપીએફ અધિકારીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિવકુમાર બઘેલ નામના આરોપીનો ભાઈ કાઉન્સિલર છે.
અગાઉ પણ આવી ઘટનાઓ આવી છે સામે
અગાઉ જ્યારે ગુજરાત, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી હતી ત્યારે આવી ઘટનાઓ સામે આવી છે. આ કેસોમાં અનેક રાજ્યોમાં શંકાસ્પદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે યુપીમાં પણ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech