પોરબંદરમાં બ્રહ્મસમાજ દ્વારા આવતીકાલે શ્રીહરિ વિષ્ણુ સહસ્ત્રનામના યોજાશે પાઠ

  • August 30, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તા.૩૧.૮ ને પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રાગટ્ય દિવસને સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ અને જેઓના સુચારિત્રથી આપણે સૌ ગૌરવ લઈ શકીએ તેવા રાષ્ટ્રીય સંત પુ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના જન્મદિવસે તેઓના તંદુરસ્તીમય દીર્ઘ આયુષ્ય માટેની શુભકામનાઓ પાઠવવા સામુહિક ભગવાન શ્રીહરિ વિષ્ણું સહસ્ત્રનામના પાઠનું આયોજન કરવામાં આવેલું છે,જેમાં બહોળી સંખ્યામાં પોરબંદરના સર્વે બ્રહ્મ બંધુ-ભગિનીને તા.૩૧.૮.૨૦૨૪ ને શનિવારના રોજ બપોરે ૪:૦૦ થી ૭:૦૦ શ્રીમતી એ.જે.જોશી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ વિદ્યાર્થી ભુવન, એરપોર્ટ રોડ ઉપર હાજરી આપવા  અનુરોધ કરવામાં આવે છે.પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી દેવુભાઈ પંડયા,પ્રમુખ કમલેશભાઈ થાનકી, પોરબંદર શહેર સમસ્ત મહિલા પાંખના મહામંત્રી તૃપ્તિબેન જોશી,પ્રમુખ પાયલબેન દવે,પોરબંદર જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોશી,પ્રમુખ કાનજીભાઈ જોશી, પોરબંદર જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજ  મહિલા પાંખ પ્રમુખ નિકિતાબેન ટેવાણી,પોરબંદર શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટીના  અશ્ર્વિનભાઈ ઠાકર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application