ખેલૈયાઓ આનંદો: નવરાત્રીમાં વરસાદની શકયતા નહિવત

  • October 03, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કચ્છ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિત ગુજરાતના અને ભાગોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂકયું છે અને બાકીના ભાગોમાંથી આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ વિદાય લેશે. આવતીકાલે બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાવાનું છે પરંતુ તેના કારણે ગુજરાતમાં નવરાત્રીના તહેવારો દરમિયાન વરસાદની શકયતા નથી.
નોર્થ– ઇસ્ટના મોટાભાગના રાયોમાંથી અને ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ સહિત દેશના અનેક રાયોના અમુક હિસાઓમાંથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લઈ ચૂકયું છે તેવી સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્રારા કરવામાં આવી છે. બીજી બાજુ આવતીકાલે બંગાળની ખાડીમાં એક પ્રભાવશાળી નવું લો પ્રેસર સર્જાય તેવી શકયતા હોવાથી દેશના અનેક રાયોમાં કાલથી વરસાદની શકયતા હોવાની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે.
બાંગ્લાદેશની સાઉથ ઇસ્ટ દિશામાં એક સાયકલોનિક સકર્યુલેશન સર્જાયું છે અને તેમાંથી ઓફશોર ટ્રફ પસાર થઈ રહ્યું છે. આ સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં નોર્થ દિશામાં આવતીકાલ સુધીમાં એક પ્રભાવશાળી લો પ્રેસર સર્જાશે અને તેની અસરના ભાગપે અંદામાન નિકોબાર ઝારખડં ઓડિશા અને નોર્થ ઈસ્ટના મોટાભાગના રાયો એવા કે આસામ મણીપુર મેઘાલયમાં વરસાદ શ થશે. આ ઉપરાંત તમિલનાડુ અને કેરાલામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ ગુજરાતને પ્રભાવિત કરે એવી શકયતા દેખાતી નથી.
ગુજરાતમાં ચોમાસા એ વિદાય લેતા મહત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. રાજકોટ ભાવનગર અને ડીસામાં મહત્તમ તાપમાનનો પારો બુધવારે ૩૬ ડિગ્રીને પાર કરી ગયો હતો. ભાવનગરમાં ૩૬.૨ રાજકોટમાં ૩૬.૧ ડીસામાં ૩૬.૧ ભુજમાં ૩૬.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ કચ્છથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની શઆત થયા પછી ગુજરાતમાં સુરેન્દ્રનગર જુનાગઢ અને ડીસામાં ચોમાસું પાછું ખેંચાઈ ગયું છે અને ગુજરાતના અન્ય ભાગોમાંથી આગામી બે–ત્રણ દિવસમાં જ ચોમાસાની વિદાય થાય તેવા સંજોગો છે.
જોકે એક બાજુ વરસાદની વિદાયની વાતો થાય છે તો બીજી બાજુ છુટા છવાયા ઝાપટાથી માંડી ધોધમાર વરસાદ મર્યાદિત વિસ્તારમાં ચાલુ જ રહ્યો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના સાત તાલુકામાં સામાન્ય ઝાપટાથી સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના ખાંભામાં સાડા ત્રણ ઈંચ છે. અમરેલી જિલ્લા ધારીમાં માત્ર બે મીલીમીટર વરસાદ થયો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારામાં એક ડોલવણમાં પોણો સુરત જિલ્લાના મહત્પવામાં પોણો સોનગઢમાં અડધો ઈચ વરસાદ થયો છે. વાલોડમાં માત્ર સામાન્ય ઝાપટું પડું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application