મોરબીમાં રહેતા મહિલા અહીં રાજકોટમાં મોટી દીકરીના ઘરે આવ્યા હતાં.દરમિયાન તેની નાની દીકરી જેણે નવ માસ પૂર્વે પ્રેમલગ્ન કર્યો હોય તેનો પતિ કારમાં ત્રણ અજાણ્યા શખસો સાથે ધસી આવ્યો હતો.મારી પત્નીને કયાં સંતાડી છે તેમ કહી જમાઇએ સાસુ પર છરી વડે હુમલો કરી દીધો હતો.આ અંગે મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મોરબીમાં નવલખી ફાટક પાસે લાયસન્સનગરમાં રહેતા પલ્લવીબેન વિપુલભાઈ ત્રિવેદી(ઉ.વ 40) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જમાઇ રાઘવ કુવરિયા (રહે. યોગીનગર, મોરબી) તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. પલ્લવીબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મોરબીમાં પતિ સાથે રહે છે તેમની મોટી દીકરી પૂજા રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં અક્ષરનગરમાં સાસરીયે છે તેમજ નાની દીકરી પ્રાર્થનાએ નવ માસ પૂર્વે મોરબીના યોગીનગરમાં રહેતા રાઘવ કુંવરિયા સાથે પ્રેમલગ્ન કયર્િ છે.
ગઈકાલે સવારના ફરિયાદી પોતાના ઘરે મોરબી હતા ત્યારે જમાઈ રાઘવ કુંવરિયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રાર્થના ક્યાં છે તમારા ઘરે આવી છે આ સાંભળી મહિલા જમાઈથી ડરી ગઈ એકટિવા લઇ રાજકોટમાં અક્ષરનગરમાં દીકરીના ઘરે આવી ગયા હતા બપોરના સમયે ફરિયાદી તથા તેમની દીકરી પૂજા અહીં ઘર પાસે ઉભા હતા ત્યારે રાઘવ કુંવરિયા મોરબીથી એક સફેદ કલરની કારમાં અહીં આવ્યો હતો અને તેની સાથે અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પણ હોય અને રાઘવે આવીને કહ્યું હતું કે, મારી પત્ની પ્રાથનાને ક્યાં સંતાડી છે તેને મારી સાથે મોકલો તેમ કહી ગાળો આપી ઝપાઝપી કર્યું ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. મહિલાએ રાડારાડી કરતા રાઘવે ઉશ્કેરાઇ છરી કાઢી ડાબા હાથના કાંડાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી લોહી નીકળવા લાગતા રાઘવ તથા તેની સાથેના માણસો અહીંથી ચાલ્યા ગયા હતા. જતા પૂર્વે ધમકી આપી હતી કે, પ્રાર્થનાને મોકલી દેજો નહીંતર બધાને જાનથી મારી નાખીશ
હુમલામાં ઘવાયેલા પલ્લવીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે આ ફરિયાદ નોંધાવી છે. બના અંગે પીએસઆઈ એ.એસ. મકરાણીએ વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech