કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. સોનિયા રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે. સોનિયા ગાંધીના નામની ભલામણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે, પીસીસી ચીફ ગોવિંદ અને વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલીએ હાઈકમાન્ડ સમક્ષ આની માંગણી કરી છે. વધતી ઉંમર અને સ્વાસ્થ્યને કારણે તે લોકસભાની ચૂંટણી લડવા માટે ઇચ્છુક નથી. આવી સ્થિતિમાં પાર્ટી તેમને રાજ્યસભામાં મોકલવા પર વિચાર કરી રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. અગાઉ આ ઓફર પ્રિયંકા ગાંધીને આપવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી.
તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભા ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કણર્ટિક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત પાર્ટીએ યુપીમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તે જ સમયે, પાર્ટીએ સુભાષ બરાલાને હરિયાણાથી ઉમેદવાર જાહેર કર્યા હતા.
ભાજપે યુપીથી આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત, નવીન જૈનના નામની જાહેરાત કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળમાંથી સમિક ભટ્ટાચાર્ય, ઉત્તરાખંડમાંથી મહેન્દ્ર ભટ્ટ, કણર્ટિકમાંથી નારાયણ કૃષ્ણસા ભાંડગે અને છત્તીસગઢથી દેવેન્દ્ર પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભાજપે બિહારમાંથી ડો.ધરમશીલા ગુપ્તા અને ભીમ સિંહને રાજ્યસભા માટે નોમિનેટ કયર્િ છે. ભીમ સિંહ ખૂબ જ પછાત સમાજમાંથી આવે છે. જ્યારે ડો.ધરમશીલા ગુપ્તા વૈશ્ય સમુદાયના છે. રાજ્યસભા માટે જીતન રામ માંઝીનું નામાંકન સાફ થઈ ગયું છે. આ સાથે સુશીલ મોદીનું નામ પણ યાદીમાં નથી. એનડીએની ત્રણમાંથી 2 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે જેડીયુ નેતા સંજય ઝા એક સીટ પરથી રાજ્યસભામાં જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech