સરકાર પોતાના પક્ષની જીત સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી દરમિયાન ઘણા વચનો આપે છે. રાજ્યમાં જ્યારે ચૂંટણી થવાની હોય છે, ત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે આવી યોજનાઓ રાજ્યના બજેટ પર બોજ નાખે છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ. આ સમય દરમિયાન, મહિલાઓ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી, જે રાજ્યની ચૂંટણી વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથી પક્ષોને ફાયદો થયો, સરકારો પણ બની, પરંતુ રાજ્યના બજેટ પર દબાણ હતું. એસબીઆઈના રિપોર્ટ મુજબ, ચૂંટણી દરમિયાન આઠ રાજ્યોમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો કુલ ખર્ચ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ રાજ્યો દ્વારા ઉત્પન્ન થતી આવકના 3-11 ટકા છે.
યોજનાઓ પર વાર્ષિક કરોડો રૂપિયાનો ખર્ચ
રિપોર્ટમાં કણર્ટિકમાં ગૃહ લક્ષ્મી યોજના જેવી રાજ્યોમાં ચલાવવામાં આવતી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર સરકારને વાર્ષિક રૂ. 28,608 કરોડ ખર્ચવા પડે છે. આ કણર્ટિકની આવકના 11 ટકા છે. આ રીતે, પશ્ચિમ બંગાળમાં લક્ષ્મી ભંડાર યોજના ચલાવવામાં આવે છે, જેના પર વાર્ષિક ખર્ચ 14,400 કરોડ રૂપિયા છે. આ કુલ આવકના 6 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે આ યોજનાઓ સરકારને ટેકો પૂરો પાડે છે અને મહિલાઓને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરે છે, રાજ્યોએ તેમની જાહેરાત કરતા પહેલા રાજકોષીય ખાધનો વિચાર કરવો જોઈએ.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એમ પણ કહ્યું છે કે જો ચૂંટણી પહેલા ડીબીટી જેવી યોજનાઓની જાહેરાત કરવાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભવિષ્યમાં કેન્દ્ર સરકાર પર દબાણ આવી શકે છે. રિપોર્ટમાં યુનિવર્સલ ઇન્કમ ટ્રાન્સફર સ્કીમ અપ્નાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech