સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરવા સરકાર જાતે જ આજે નાના માણસની ગેરંટર બની છે-સાંસદ પૂનમબેન: છૂટક વ્યવસાય કરતાં શેરી ફેરિયાઓને સાંસદ, ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયાં
શહેરના ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને પી.એમ.સ્વનિધિ યોજના હેઠળના શહેરી શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનોના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા હતા.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કોઈપણ યોજના સાચા અર્થમાં ત્યારે જ સાર્થક થાય છે જ્યારે સાચા વ્યક્તિને તેનો લાભ મળે છે.તેથી જ સમાજના દરેક વર્ગના લોકોને સીધો ફાયદો કરે એ પ્રકારની અનેક યોજનાઓ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકવામાં આવી છે.ભૂતકાળમાં લોન તો દુરની વાત પરંતુ લોકો બેંકમાં જવાનું પણ વિચારી ન શકતા ત્યારે આજે નાનામાં નાના માણસને પણ નરેન્દ્રભાઈ મોદીના સુદીર્ઘ આયોજનને કારણે સરળ રીતે લોન સાહિતના લાભો મેળવવા સરળ અને સુગમ બન્યા છે.સરકાર પોતે જ આજે નાના માણસની ગેરંટર બની છે અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ વર્ગને અનેકવિધ લાભો પહોંચાડી સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરી રહી છે.
આ પ્રસંગે પી.એમ.સ્વનિધિ યોજનાના લાભાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે કોરોનાના કપરા સમયમાં અમારા ધંધા બંદ થયા હતા.ત્યારે આ યોજનાના માધ્યમથી અમને સરળ રીતે લોન ઉપલબ્ધ થતા અમે ફરી પગભર બની શક્યા અને અમારા ધંધા રોજગાર ફરી આગળ વધી શક્યા.જેનાથી અમારા પરિવારને ખૂબ જ રાહત મળી અને અનેક પ્રકારની હાડમારીમાંથી અમે બચી શક્યા.
કાર્યક્રમ અંતર્ગત વિવિધ બેંકના પ્રતિનિધિઓ તથા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયાં હતા. તેમજ ઉપસ્થિત સૌ કોઈએ વડાપ્રધાનનો વીડિયો સંદેશો નિહાળ્યો હતો. મેયર વિનોદભાઈ ખીમસૂર્યાએ સૌ મહાનુભાવોને સ્વાગત પ્રવચન વડે આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભારવિધિ આસિસ્ટન્ટ કમિશનર કોમલબેને કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષભાઇ જોશી, દંડક કેતનભાઈ નાખવા, શહેરી ગરીબ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબા જાડેજા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, નાયબ કમિશનર ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટરઓ તથા બહોળી સંખ્યામાં શેરી ફેરિયાઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech