જામનગરમાં મકાનમાં ખાતર પાડતા તસ્કરો

  • July 24, 2023 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આશીર્વાદ સોસાયટીમાં ૪.૫ તોલા સોનું અને રોકડ લઇ ગયા

જામનગરના રણજીતસાગર રોડ, કીર્તીપાન પાછળ આશીર્વાદ સોસાયટી ૦૨માં આવેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકીને સોનુ તથા રોકડ મળી ૧.૧૬ લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે આ અંગેની જાણ થતા સીટી-એ અને એલસીબીની ટુકડી તપાસ માટે દોડી ગઇ હતી.
મુળ મુંબઇના દહીંસર (ઇ) આનંદનગર યુનિક સોસાયટીના વતની અને હાલ જામનગરના કીર્તી પાન પાછળ આશીર્વાદ સોસાયટી-૨, બ્લોક નં. ૩૦/૮ ખાતે ભાડાના મકાનમાં રહેતા જેસન દિલીપભાઇ ગોરડીયા (ઉ.વ.૪૪) ના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને તા. ૨૩ રાત્રીના કોઇ સમયે તસ્કરો અંદર ત્રાટકયા હતા.
અંદર પ્રવેશેલા શખ્સો બેડરુમના કબાટના લોકરમાંથી આશરે સાડા ચાર તોલા જુનુ સોનુ, ચાંદીની કંકાવટી અને રોકડા ૩૫૦૦ મળી કુલ ૧.૧૬.૨૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા, આ અંગે જેસનભાઇ દ્વારા સીટી-એમાં ગઇકાલે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી બનાવની જાણ થતા સીટી-એ અને એલસીબીની ટુકડી દ્વારા સ્થળ પર દોડી જઇ વિગતો જાણી સીસી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી લંબાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application